જૂનાગઢ ભાજપ પરીવારે સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવ્યો

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માના નેતૃત્વમાં યોજાયેલા સ્નેહમિલનમાં ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ ખાતે પહેલીવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો. મહાનગર અધ્યક્ષ પુનિતભાઇ શર્મા તથા મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા અને શૈલેષભાઈ દવેની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેટરો, દરેક મોર્ચાના પ્રમુખ મહામંત્રી, વોર્ડ પ્રમુખ મહામંત્રી, કારોબારી સભ્યો તથા દરેક સેલના કન્વિનર સહકન્વિનરે ભારે જહેમત ઉઠાવી હતી અને સ્નેહમિલનના કાર્યક્રમને ભવ્ય સફળ બનાવ્યો હતો. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માએ દરેક પદાધિકારીઓ, હોદ્દેદારો તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવા માટે આવેલા દરેક જ્ઞાતિના આગેવાનો અને કાર્યકરોનો વ્યક્તિગત પરીચય કરાવ્યો હતો. હાલમાં જ રાષ્ટ્રપતિના હસ્તે  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તેવા દાદબાપુ ગઢવીના સુપુત્ર જીતુદાદ ગઢવીએ પણ મુખ્યમંત્રીની મુલાકાત કરી હતી. આ તકે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા સેલના કન્વિનર સુરેશભાઇ પાનસુરીયા, સહકન્વિનર સંજયભાઈ પંડ્યાએ તેમના પરીવાર સાથે તથા જીતેન્દ્રભાઈ ઠકરાર, સાંસ્કૃતિક સેલના સભ્યો મુકેશભાઈ બારોટ, રાજુભાઇ સોનપાલ, ચંદુભાઈ ડાભી, મધુબેન જાેષી તથા જય પંડ્યા અને રવી પોપટે પણ મોમેન્ટો આપી મુખ્યમંત્રીને સન્માનિત કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!