જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે રૂા.૬.૩૪ કરોડની મગફળી ખરીદાઈ અને રૂા.૭.૫૦ કરોડની મગફળી વેંચાઈ

0

સરકાર દ્વારા લાભ પાંચમના દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. જાેકે, ટેકાને ખેડૂતોમાંથી નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતો ટેકાના ભાવ કરતા ખુલ્લી બજાર(યાર્ડ)માં મગફળી વેંચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં કુલ ૯ સેન્ટર ઉપર ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી હાથ ધરાઇ રહી છે. દરમ્યાન જિલ્લા પુરવઠા અધિકારી એન.ડી. ગોવાણીએ જણાવ્યું હતું કે, ૯ નવેમ્બર- લાભ પાંચમથી લઇને ૧૮ નવેમ્બર સુધીના ૧૦ દિવસમાં ટેકાના ભાવે ૬.૩૪ કરોડની મગફળી ખરીદાઇ છે. જ્યારે યાર્ડના સેક્રેટરી પી.એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, આ સમય ગાળામાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ૭.૫૦ કરોડની મગફળી વેંચાઇ છે. લાભ પાંચમથી માર્કેટિંગ યાર્ડની કામગીરી શરૂ થઇ છે સાથે ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ શરૂ કરાઇ છે. ત્યારે યાર્ડમાં લાભ પાંચમથી લઇને ૧૮ નવેમ્બરના ૧૦ દિવસમાં કુલ ૫૦,૦૦૦ ગુણી મગફળીની આવક થઇ છે. એક ગુણીમાં ૩૦ કિલો મગફળી હોય છે. ગુણીનો ભાવ ૧,૫૦૦ ગણતા અંદાજે ૭,૫૦,૦૦,૦૦૦થી વધુની મગફળીની આવક થઇ છે.

યાર્ડમાં દિવાળી પહેલા પણ ૩૦ કરોડથી વધુની મગફળીની આવક

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં દિવાળી વેકેશન પૂર્વે એટલે કે ૧૯ ઓકટોબર સુધીમાં જ ૩૦,૦૦,૦૦,૦૦૦થી વધુની મગફળીની આવક થઇ હતી. જ્યારે ૧ નવેમ્બરે દિવાળી વેકેશન પડ્યું હતું. આમ, ૧૯ ઓકટોબરથી ૩૧ ઓકટોબર સુધીમાં પણ મગફળીની વિપુલ માત્રામાં આવક જારી રહી હતી.

કુલ ૮,૪૬૦ને એસએમએસ, ૫૭૯ની ખરીદી

જૂનાગઢ જિલ્લામાં કુલ ૩૩,૦૪૩ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ૮,૪૬૦ ખેડૂતોને એસએમએસ કરી જાણ કરાઇ હતી. જાેકે, માત્ર ૬૭૧ ખેડૂતો જ આવ્યા હતા જેમાંથી ૮૦ ખેડૂતોની મગફળી રિજેક્ટ થતા ૫૭૯ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઇ છે.

૯૦ દિવસ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે

લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. આ ખરીદી ૯૦ દિવસ સુધી ચાલશે. એટલે કે,૩ મહિના સુધી ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ચાલશે.

આટલા સેન્ટર ઉપરથી ખરીદી કરવામાં આવી રહી છે

જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ, મેંદરડા, માંગરોળ, માણાવદર, માળીયા હાટીના, કેશોદ, વંથલી, ભેંસાણ અને વિસાવદર એમ કુલ ૯ સેન્ટર ઉપરથી ટેકાના ભાવે મગફળી ખરીદાઇ રહી છે.

અનેક પ્રકારની મુશ્કેલીઓ છે

ટેકાના ભાવે મગફળી વેંચવામાં ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલી પડી રહી છે. વળી, માલ રિજેક્ટ થાય તો ડબલ ભાડું ચડી જાય છે. જ્યારે વેંચાણ થયા પછી સરકાર ખાતામાં નાણાં જમા કરે ત્યારે મળે.

જ્યારે યાર્ડમાં વેંચાણની પ્રક્રિયા સરળ છે, બહુ કાગળોની જરૂરિયાત રહેતી નથી તેમજ સારી ક્વોલીટીની મગફળીમાં ભાવ પણ વધુ મળી રહે છે. પરિણામે ટેકા કરતા ખુલ્લા બજારમાં ખેડૂતો વધુ મગફળી વેંચી રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢમાં તો શહેરથી ૧૦ કિમી દુર ખરીદી સેન્ટર રાખવામાં આવ્યું હોય તેના કારણે પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી હોય ટેકાના બદલે યાર્ડમાં મગફળી વેંચી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!