આગામી તા. ર૩ ડિસેમ્બરનાં રોજ અમદાવાદ ખાતે હિન્દુ ધર્મ સત્તા મહાકુંભનું ભવ્ય આયોજન

0

જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમ ખાતે ગઈકાલે બપોરનાં ૩ થી ૬ દરમ્યાન એક ધર્મસભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂ. મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીજી બાપુની નિશ્રામાં યોજાયેલી ધર્મસભામાં ભારતમાં રાજસત્તાની સાથે ધર્મ સત્તા હોવી જાેઈએ તે વીષય ઉપર મનનીય પ્રવચન કરવામાં આવેલ હતું. આ ધર્મસભામાં જૂનાગઢ વિભાગનાં સંત મહાત્માઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી તેમજ પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા ખાસ ઉપસ્થિત રહયા હતા. છેલ્લા એક વર્ષમાં ડી.જી. વણઝારા પ્રમુખ રાષ્ટ્રવંદના મંચ અને તેમના સાથીઓની ટીમ દ્વારા ભારે પુરૂષાર્થ કરી ગુરૂવંદના મંચનાં નેજા હેઠળ પ્રચંડ એકતાના દર્શન કરાવ્યા છે. ગઈકાલે જુદા જુદા ક્ષેત્રમાંથી આવેલા સંતોએ પણ આ સભામાં ભાગ લીધો હતો. ગઈકાલે યોજાયેલી ધર્મસભામાં દેશમાં ધર્મસત્તા પ્રસ્થાપિત થાય તે દરેક હિન્દુનો અધિકાર છે તેમજ રાજસત્તાની સાથે ધર્મસત્તા પણ હોવી જાેઈએ તે બાબત ઉપર ભાર મુકવામાં આવેલ હતો અને જેના ભાગરૂપે રાજયમાં પ્રચંડ લોકમત ઉભો કરવાનાં નિર્ધારને કાયાર્ન્વિત કરવા માટે આગામી તા. ર૩-૧ર-ર૦ર૧ના રોજ વિશ્વ ઉમિયા ધામ જાસપુર રોડ, વૈષ્ણોદેવી સર્કલ સામે, એસ.જી. હાઈવે અમદાવાદ મુકામે સંતોની એક વિશાળ ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મસત્તા મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને તેને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહેલ છે. આ કાર્યક્રમમાં લોકોને મોટી સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!