પરિક્રમા દરમ્યાન ખુન કરી અને નાસી છૂટેલા આરોપીને બે વર્ષે ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

0

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે અને તમામ પોલીસ અધિકારીઓ ભૂતકાળના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓની તપાસ હાથ ધરી, પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે સને ૨૦૧૯ની સાલમાં તા.૫-૧૧-૨૦ના રોજ લીલી પરિક્રમા દરમ્યાન આગલા દિવસે ભવનાથ તળેટીના સુદર્શન તળાવના કાંઠા પાસે, ફરિયાદી ઓમગીરી ગુરૂ મહંત ગિરધરગીરી નાગા સન્યાસી સાધુ ઉવ.૬૦ રહે.ભૈરવગુફા, સુંધાપર્વત, સુંધામાતાજી, દાતલાવાસ ગામ જી.ઝાલોર રાજસ્થાન તથા તેમના ભત્રીજા ચેલા કેવલગીરી ગુરૂ કમલગીરી સાથે ભવનાથ મંદિરે તથા જુના અખાડે દર્શન કરી, સુદર્શન તળાવના કાંઠે રાજનારાયણગીરી ઉર્ફે લંબુગીરીની કુટિયા ઝુંપડી ઉપર ગયેલા અને ત્યાં જીતેન્દ્રગીરી ઉર્ફે સૌરવગીરીની પાસે રહેલ પિસ્તોલને લંબુગીરી દ્વારા ચેક કરતા, ફાયરિંગ થતા, કેવલગીરીને ઇજા થતાં, સારવાર દરમ્યાન મૃત્યું થયેલ હતું. આ બાબતે ફરિયાદી ઓમગીરી ગુરૂ મહંત ગિરધરગીરી દ્વારા ફરિયાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવતા, જે તે વખતે આરોપી રાજ નારાયણ ગિરી ઉર્ફે લંબુગીરી ગુરૂ મનમોહનગીરી રહે. ભવનાથ મંદિરની પાછળ, ત્રિકમ સાહેબની જગ્યા પાસે, ભવનાથ જૂનાગઢને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી તેમજ દેશી બનાવટની પિસ્તોલ કબજે કરવામાં આવેલ હતી. આ ગુન્હાની તપાસ દરમ્યાન આરોપી જીતેન્દ્ર ભારતી ઉર્ફે સૌરવગીરી ગુરૂ પ્રેમભારતી રહે. નિરંજની અખાડા, ભવનાથ, જૂનાગઢનું આ ગુન્હામાં નામ ખુલતા, નાસી ગયેલ હતો અને પોલીસ જ્યારે જ્યારે તપાસ કરવા જાય ત્યારે મળી આવતો ના હતો અને ધરપકડ ટાળવા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ હતો. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાખેલ ખાસ ઝંુબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે તેમના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.વી.ભાટી, પીએસઆઇ એ.ડી.વાળા, ડી.જી.બડવા તથા સ્ટાફના હે.કો. વિક્રમભાઈ, સાહિલભાઈ,  યશપાલસિંહ, કરશનભાઇ સહિતની ટીમ દ્વારા છેલ્લા બે વર્ષથી વોન્ટેડ નાસતો ફરતો આરોપી જીતેન્દ્ર ભારતી ઉર્ફે સૌરવગીરી ગુરૂ પ્રેમભારતી ઉવ.૩૫ રહે. નિરંજની અખાડા, ભવનાથ, જૂનાગઢને ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણના ઇન્દ્રોય ગામ ખાતે આવેલ ચામુંડા માતાજીના આશ્રમ ખાતેથી પકડી પાડી, રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. જેનો કોરોના ટેસ્ટ કરાવી, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી જીતેન્દ્ર ભારતી ઉર્ફે સૌરવગીરી ગુરૂ પ્રેમભારતી રહે. નિરંજની અખાડા, ભવનાથ, જૂનાગઢની જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા તથા સ્ટાફના હે.કો. યુસુફભાઈ, ભીમભાઈ, રામદેભાઈ, રાજુભાઇ સહિતની ટીમ દ્વારા પ્રાથમિક પૂછપરછમાં પોતે જ્યારથી ગુન્હો દાખલ થયેલ ત્યારથી ભવનાથ છોડી નાસી જઈ, ગીર-સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં  લંબે હનુમાનની જગ્યામાં અને ત્યારબાદ ઇન્દ્રોય ગામે રોકાયેલ હતો. પોતે આ ગુન્હામાં પકડાયેલ હથિયાર તથા કાર્ટીસ મધ્યપ્રદેશના સ્વામી પાર્થ પાસેથી લાવેલાનું જણાવતા, પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે તેમજ પોલીસ રિમાન્ડ મેળવવા નામદાર કોર્ટમાં રજૂ કરી, દિન ૫ના પોલીસ રિમાન્ડ ઉપર મેળવી વધુ તપાસ હાથ ધરી, હથિયાર આપનાર પાર્થ સ્વામીને પકડી પાડવા કાર્યવાહી ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!