જૂનાગઢ ખાતે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા રૂરલ મિડીયા વર્કશોપ યોજાયો, જુદા જુદા વિષયો ઉપર નિષ્ણાંતો દ્વારા વકતવ્ય અપાયું

0

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જૂનાગઢ ખાતે રૂરલ મિડીયા વર્કશોપનું આયોજન કરાયું હતું.  આ વર્કશોપનો ઉદેશ  પત્રકારો સાથે સીધો સંવાદ અને સંપર્ક સાધવાનો તેમજ તેમને માહિતી મેળવવામાં પડતી સમસ્યાઓ અંગે યોજાયો હતો.  ભારત સરકાર પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા યોજાયેલા રૂરલ વર્કશોપનો પ્રારંભ નિવાસી કલેકટર એલ.બી. બાભણીયાએ દીપ પ્રગટાવી કરેલ હતો. શ્રી બાભણીયાએ આ પ્રસંગે  કહયું હતું કે, સમાજમાં જાગૃતિ લાવવા અને લોકોને સત્યની નજીક લઈ જવા માટે  સમાચાર માધ્યમોએ જવાબદારી પુર્વક  કાર્ય કરવું જરૂરી છે. આ પ્રકારના વર્કશોપ યોજાતા રહેવા જાેઈએ જેનાથી સમાજના લોકોને અને સાથે મિડીયા જગતના લોકોને  પણ સાચી દિશા અને સત્યનિષ્ઠ સમાચારોની જાણકારી મળશે. જૂનાગઢ જીલ્લાના પત્રકારો માટે  યોજાયેલ વર્કશોપ-વાર્તાલાપમાં ફુલછાબના તંત્રી કૌશિક મહેતાએ પત્રકારોને સમાચારમાં નીતિમત્તા અને વિશ્વસનીયતા અંગે માર્ગદર્શન આપેલ હતું. તેમણે જણાવ્યું હતું કે, પત્રકાર માટે સમાચાર મેળવવાનું હાર્દ ગામડું છે. જેમાં ગામડાનાં ખેડૂતો, શ્રમિકો, વેપારીઓની સમસ્યાને સરકાર સુધી પહોંચાડવી જરૂરી છે. જેમાં વધુમાં હાલનાં અખબારો અને ઈલેક્ટ્રોનિક મીડિયા અંગે માહિતી આપી આઝાદી પહેલાનાં દૈનિક અખબારો અને હાલનાં દૈનિક અખબારો અંગે આંકડાકીય માહિતી આપી હતી. તે ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયામાં ઝડપી ફેલાતા સમાચાર અંગે પણ માહિતી આપી તેમનાં ફાયદા અને ગેરફાયદા જણાવ્યા હતા. તેમણે પત્રકારત્વમાં નીતિમત્તા, સભ્ય સમાજની અપેક્ષા અંગે માર્ગદર્શન આપતા કહ્યું કે, લોકપ્રિય અને લોકલક્ષી પત્રકારત્વની સમતુલા જાળવવી પડશે. આ વર્કશોપ-વાર્તાલાપમાં ચોથી જાગીર સતત બદલાતા સ્વરૂપો અંગે લેખક અને મોટિવેશનલ સ્પીકર  જય વસાવડા દ્વારા વકતવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે ડિઝિટલ ક્રાંતી ઉપર ભાર આપતા જણાવ્યું કે, આજે ડિઝિટલ ક્રાંતિનો યુગ છે. તેમણે પુસ્તકોનાં વાંચન, ચિંતન વગર શ્રેષ્ઠ પત્રકાર ન બની શકાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વાંચનમાં નિરીક્ષણ, ચોક્કસાઈ તેમજ ખરાઈ કરવી ખૂબ જ જરૂરી છે. જેથી માહિતીપ્રદ સમાચાર બની શકે છે. તેમણે સમાચાર લેખન અન્વયે ગેરસમજને દુર કરતા કહ્યું હતું ક,ે સિડીંગ અને ફીડીંગનો તફાવત સમજવો આવશ્યક છે. જેથી સમાચારનાં કારણે ઉત્પન્ન થતા મતભેદો અટકી શકે છે. આ તકે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોનાં અપર મહાનિદેશક ડો. ધીરજ કાકડિયાએ મીડિયા લો અંગે માહિતી આપી, પત્રકારો સાથે વાણી, સ્વાતંત્ર્ય અભિવ્યકિત, સ્વાતંત્ર્યને લગતી બંધારણીય જાેગવાઈ, સીઆરપીસી અને આઈપીસીની કલમ, આરએનઆઈ ડિકલેરેશન અંગે ચર્ચા કરી હતી. કાર્યક્રમનાં આરંભે ડો. ધીરજ કાકડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોની ભૂમિકા અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!