દ્વારકાના ચરકલા નજીક ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિના મોતથી અરેરાટી

0

દ્વારકા નજીકના ચરકલા પાસે ગઈકાલે સાંજે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી દર્શન કરવા આવેલ એક જ પરિવારની ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજતા ભારે અરેરાટી સાથે કરૂણ દ્રશ્યો સર્જાય હતા. બનાવની જાણ થતા આજુબાજુ ગામના લોકો તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતની વિગત એવી ગઈ છે. અમદાવાદનો એક રાજપૂત પરિવાર દ્વારકાધીશજીના દર્શન કરવા આવ્યો હતો. દરમ્યાન દર્શન કરી પરત અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે દ્વારકા નજીકના ચરકલા પાસે અંબલિયાની ચોકડી પાસે સાંજના સમયે કાર નંબર જીજે-૬-ડી-૧૦૦૦ અને એક અન્ય કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદના રાજપૂત પરિવારના ત્રણ તેમજ એક વ્યક્તિ સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા ચારેયના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા કરૂણ મોત નિપજ્યા હતા. કરૂણ અકસ્માત સર્જાતાની સાથે જ રોકકળ ચિચિયારીઓના અવાજ ગુંજી ઉઠતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં જેમના કરૂણ મોત નિપજ્યા છે તેમાં અમદાવાદના વિજયભાઈ રાજપૂત, પૂજા રોનકભાઈ રાજપૂત, મધુબેન વિજયભાઈ રાજપૂત અને ભૂમિબેન અલકેશભાઈ ચૌધરી સહિત ચારે વ્યક્તિઓ કાળનો કોળીયો બની ગઈ હતી. જ્યારે એક બાળક સહિત અન્ય બે વ્યક્તિને ઈજાઓ થતા દ્વારકાની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અકસ્માતનો આ કરૂણ બનાવ બનતા આજુબાજુના ગામના લોકો દોડી ગયા હતા અને મદદે લાગ્યા હતા. આ ઉપરાંત પોલીસને અકસ્માતના બનાવની જાણ થતા દ્વારકા પોલીસની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ચારેય મૃતકોના મૃતદેહોને હોસ્પિટલ પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન આ કરૂણ બનાવની જાણ અમદાવાદ મૃતકના પરિવારજનોને કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!