ગીર સોમનાથ જીલ્લા એનીમલ હેલ્પ લાઇનની ટીમે બિમાર ગાયના સડી ગયેલ ગાયના શીંગડાનું ઓપરેશન કરી જીવ બચાવ્યો

0

ગીર સોમનાથ જીલ્લામાં તાલાલા તાલુકાના હડમતીયા ગામે એનિમલ હેલ્પલાઇન (પશુ દવાખાના) દ્વારા ગાયના શીંગડાનુ નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવેલ છે. રાજય સરકારના પશુ પાલન વિભાગ દ્વારા અને જી.વી.કે. ઇ.એમ.આર.આઇ. દ્વારા સંચાલિત દસ ગામો પૈકી એક પશુની સારવાર માટે ૧૯૬૨ની સેવા ચાલી રહેલ છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના હડમતીયા ગામે રહેતા રમેશભાઇ દ્વારા તેમની ગાયના શીંગડામાં તકલીફ હોવાથી પશુ ચિકિત્સક ડો.સાહિલ પટેલ, ડો.જીજ્ઞેશ સોલંકી તથા સાથી પાયલોટ કમ ડ્રેસર સંજયભાઇ, સાગરભાઇને જાણ કરતા હડમતીયા ગામે પહોંચી તપાસ કરતા ગાયને શીંગડામાં સડો અને તે પીડાતી હોવાથી વધુ તપાસ કરતા ગાયને સિંગડાનું ઓપરેશન કરવાની જરૂર હોવાથી ૧૯૬૨ની ટીમ દ્વારા ગાયના સિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવેલ હતું તેમજ સરકાર દ્વારા ચાલતી ફી સર્વીસથી મફત ઓપરેશન તેમજ દવાઓ પણ આપવામાં આવતા ગાય માલિક રમેશભાઇએ ગાયનો જીવ બચાવવા બદલ પશુ ચિકત્સકની કામગીરીને બીરદાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!