વર અને કન્યાએ ૭૧ કિમી ચાલીને પરબધામ પહોંચી ગાંધર્વ લગ્ન કર્યા

0

પ્રવર્તમાન સમયમાં લગ્ન પ્રસંગમાં લોકો લાખો રૂપિયા વેડફી રહયા છે. લગ્ન પાછળ વધારાના બેફામ ખર્ચાઓ થઈ રહયા છે. દેખાદેખી વધી રહી છે તેવા સમયે પરબધામ ખાતે ગઈકાલે યોજાયેલ એક લગ્ન પ્રેરણારૂપ બન્યા છે. એક યુવક અને યુવતીએ પરબધામનાં મહંતશ્રી કરશનદાસ બાપુનાં સાંનિધ્યમાં ગાંધર્વ લગ્ન કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિને ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડયું છે.  પ્રાપ્ત વિગત મુજબ ભાયાવદરનાં સાંગાભાઈ મુંજાભાઈ રબારીનાં પુત્ર અક્ષયકુમાર અને ઉપલેટાનાં બાલાભાઈ ભારાઈની પુત્રી રાજીબેનનાં લગ્ન નકકી થયા બાદ બંને પક્ષોનાં પરીવારજનો અને વર-કન્યા ૭૧ કિમી ચાલીને પરબધામ માનતા પુરી કરવા આવી પહોંચ્યા હતાં. આ તકે બંને પક્ષોએ મહંતશ્રી કરશનદાસ બાપુને તાજેતરમાં જ અક્ષય અને રાજીનાં લગ્ન હોવાની વાત કહેતા જ પૂ. બાપુએ લગ્ન પાછળ ખોટા ખર્ચ નહી કરવાનું જણાવીને અત્યારે જ અહીં ગાંધર્વ લગ્ન કરવાની આજ્ઞા કરતાની સાથે જ બંને પક્ષોએ હોંશે હોંશે ગુરૂમહારાજની આજ્ઞા મુજબ પરબધામ ખાતે પૂ. ગુરૂમહારાજનાં સાંનિધ્યમાં બંને પક્ષોએ અક્ષયકુમાર અને રાજીબેનનાં લગ્ન કર્યા હતાં. અને સાદાઈથી લગ્ન કરવાનું દ્રષ્ટાંત પુરૂ પાડયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!