ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં હોદ્દેદારોની ઉતરપ્રદેશમાં ચૂંટણી પ્રચારક તરીકે નિમણુંક કરવામાં આવી

0

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સુચનાથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ઉતરપ્રદેશમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ઉતરપ્રદેશના ૨૬૮- બારાબંકી વિધાનસભાની જીલ્લા પ્રવાસી પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીનાં કર્મનિષ્ઠ કાર્યકર અને જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા તથા ચંદ્રેશભાઇ હેરમા તથા ૨૬૯-જૈદપુર વિધાનસભાની જવાબદારી સંજયભાઈ કોરડીયાને આપવામાં આવી છે. ત્યારે જૂનાગઢ મહાનગરનાં પ્રભારી ચંદ્રશેખરભાઇ દવે, મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, શૈલેષભાઈ દવે, મેયર ધીરૂભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઇ પટોળીયા, દંડક ધરમણભાઇ ડાંગર, સંગઠનની ટીમ, કારોબારી સભ્યો, વિવિધ મોરચાના હોદેદારો, દરેક સેલનાં કન્વિનર, સહકન્વિનરો, વિવિધ સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળનાં હોદેદારોએ પુનિતભાઇ શર્મા, સંજયભાઈ કોરડીયા તથા ચંદ્રેશભાઈ હેરમા ઉતરપ્રદેશના ચૂંટણી પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!