બેટ-દ્વારકા અને ઓખા વચ્ચે સમુદ્રમાં બનતા સિગ્નેચર બ્રીજમાં લાગી આગ

0

ઓખા બેટ-દ્વારકા વચ્ચે બનતો સિગ્નેચર બ્રિજનાં મોટા ટાવરમાં આગ લાગી હતી. અંદાજે ૧૦૦૦ કરોડની કિંમતનો આ પુલ ૨૦૨૩ સુધીમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવનાર છે. આ પુલનું કામ ખુબ ગતિમાં ચાલી રહ્યું છે. ટાવરનું કામ ચાલું હતું તે દરમ્યાન વેલ્ડીંગનાં તણખાથી લાકડાનાં પ્રાંચમાં આગ લાગી અને પવન હોવાથી આગ એકાદ કલાકમાં કાબુમાં આવેલ હતી. આગ બુઝાવવા ઓખા મરીન પોલીસ પી.એસ.આઈ. મકવાણા, બોટ પાઈલોટ મેઘજીભાઈ તેમજ પોલીસ જવાનો ઉપરાંત કોન્ટ્રાકટરનાં કામદારોએ જહેમત ઉઠાવેલ હતી. આગની જગ્યાએ રહેલા કામદારોને મરીન પોલીસ બોટમાં ખસેડાયા હતા. આ આગનાં બનાવમાં કોઈ જાનહાનિ કે ઘાયલ થયેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!