જૂનાગઢમાં વધુ એક પરિવારને વ્યાજખોરની ચુંગાલમાંથી મુકત કરાવતી પોલીસ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેર કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતી આપવા હેલ્પ લાઇન નંબર આપી, મદદ માંગવા જાણ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઇન નંબર આધારે લોકો મદદ માંગતા જૂનાગઢ પોલીસ તરફથી અવાર-નવાર મદદ કરવામાં આવે છે, તેમજ જરૂર જણાએ વ્યાજખોર વિરૂદ્ધ ગુન્હાઓ નોંધી, પાસા ધારા મુજબ પણ પગલાઓ ભરવામાં આવતા હોવાથી, વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર રહેતા અને એસટી વિભાગમાં નોકરી કરી, રિટાયર્ડ થયેલ સિનિયર સીટીઝન પોતાના ફેમિલી તથા દીકરા સાથે રહી, પોતાનું ગુજરાન ચલાવતા આ સિનિયર સીટીઝન તથા તેમના દીકરા રાહુલ(નામ બદલાવેલ છે) દ્વારા પોતાની જરૂરીયાતના કારણે તેમજ કોરોના સમયમાં નોકરી ના હોય, દસ જેટલા લોકો પાસેથી થોડા થોડા રૂપિયા વ્યાજે લીધેલા અને વ્યાજ ચૂકવવાની લ્હાયમાં વ્યાજની રકમ વધતી જતી હોય, બે અઢી વર્ષ સુધી વ્યાજના દર મહિને રૂપિયા ચૂકવવા છતાં, યુવાનનું વ્યાજ બમણું થઇ ગયેલ અને મુદ્દલ પણ એટલું જ રહેલ હતું. સિનિયર સીટીઝનના પુત્ર એવા અરજદાર રાહુલ દ્વારા વ્યાજખોરને વ્યાજ આપી દીધા બાદ, પેનલ્ટી સહિત ત્રણ ગણા રૂપિયા વ્યાજના ચઢાવી, અરજદારની હાલત કફોડી હોવા છતાં, ઘરે જઈને હેરાન કરવાનું તથા ધમકી આપવાનું શરૂ કરતાં, સામાન્ય રીતે માણસને નવો દિવસ ઉગે તો શાંતિ થાય પણ અરજદારના આખા કુટુંબને રાત વીતી દિવસ ઉગે તો, એમ થાય કે દિવસ કયા ઉગ્યો ? અરજદાર વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી, અરજદાર એટલો બધો મુંજાયેલો કે, અરજદાર ગમે તેમ કરે, તો પણ વ્યાજખોરોના વ્યાજને પહોંચી શકે તેમ ના હોય, માનસિક સ્થિતિ ખૂબ જ બગડી ગયેલ કોઈ રસ્તો ના હોય, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને અરજદાર રૂબરૂ મળી, આખી વિગત જણાવી, રડવા લાગેલ અને વ્યાજખોર દ્વારા પોતાનું જીવન ઝેર કરી દીધેલાનું જણાવેલ હતું. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઈ.રાઠોડ તથા સ્ટાફ સહિતની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, બધા વ્યાજખોરોને બોલાવી, પોલીસની ભાષામાં સમજાવી દેતા, અરજદાર પાસેથી પોતાને હવે કાંઈ લેવાનું રહેતું નહીં હોવાનું જણાવેલ હતું. વ્યાજખોરો પૈકી બે વ્યાજખોર વધારે પડતા હોશિયાર હોય, અરજદાર પાસેથી લીધેલા ચેક ત્રાહિત વ્યક્તિને આપી, રૂા.૪.૫ લાખના ચેક રિટર્નની નોટિસ પણ મોકલવામાં આવેલ હતી. આ ત્રાહિત વ્યક્તિને અરજદાર ઓળખતો પણ ના હતો. જૂનાગઢ પોલીસ દ્વારા આ હોશિયાર વ્યાજખોર અને ત્રાહિત વ્યક્તિ ઉપર નમૂના રૂપ કાર્યવાહી કરવા તૈયારી કરી, પોલીસની ભાષામાં સમજાવી દેતા, વ્યાજખોરો દ્વારા અરજદારને તેની પાસેથી લીધેલા ચેક, ચેક રિટર્નની નોટિસ અને લખાણના કાગળો તરત જ  પરત પણ આપી, સોગંદનામું કરી, હવે કોઈ રૂપિયા લેવાના થતા નથી તેવું લખાણ પણ આપી ગયેલ હતા. અરજદાર દ્વારા પણ પોતાનો પ્રશ્ન સોલ્વ થઈ જતા, ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અરજદાર દ્વારા પોતાને વ્યાજખોરના ચુંગાલમાંથી છોડાવવા બદલ અને પોતાના ચેક અને લખાણ પણ પરત અપાવતા, પોતાના કુટુંબ સાથે રૂબરૂ મળી, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ચેક અને લખાણ પણ પરત મળતા, ખુશ થઈને જાે પોલીસ દ્વારા પોતાને મદદ કરવામાં ના આવી હોત તો, આખા ફેમિલીની જિંદગી પુરી થઈ જાય તેમ હોવાની તેમજ આખા કુટુંબને નવી જિંદગી આપી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. હાલના સાંપ્રત સમયમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો જિંદગી ગુમાવતા હોય છે, તેવા સમયે જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોકડાઉનના કપરા સંજાેગોમાં વ્યાજખોરોને નાથવા તેમજ વ્યાજખોરીનો ભોગ બનતા લોકોને મદદ કરવાના અભિયાન અને અભિગમના કારણે જૂનાગઢ શહેરના અરજદારને વ્યાજની ચુંગાલમાંથી છોડાવી, જિંદગી બચાવી, વ્યાજખોરોને આપેલા ચેક અને લખાણ પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી, અરજદારની જિંદગી બચાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!