માંગરોળમાં બીલાડીનાં બે બચ્ચાનાં મોત, એકને બચાવાયું

0

માંગરોળ પીપલ્સ બેંકની બાજુમાં ગઈકાલે વહેલી સવારે પ્લાસ્ટિકના પેક ઝબલામાં આંખો પણ ન ખુલી હોય તેવી સ્થિતિમાં કોઈ ત્રણ બિલાડીના બચ્ચા ફેંકી ગયું હતું. સ્થાનિક લોકો તેમજ જીવદયા પ્રેમી હિતેષભાઇ પારેખ દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નરેશભાઇને જાણ કરવામાં આવી હતી અને તેઓ ચેતનભાઈ જાડા સાથે જઇ સ્થળ ઉપર જાેયું તો બે બચ્ચા ગુંગળાઇને મૃત્યું પામ્યા હતા અને એક જીવીત હતું. આ બચ્ચાને સારવાર આપી ઉછેર માટે લાવવામાં આવ્યું હતું. પૃથ્વી ઉપર જન્મેલા તમામ જીવને જીવવાનો હક્ક છે. મોત બધા ઉપર છે કદાચ આવું કૃત્ય કરનારને ખ્યાલ નહી હોય, આવા કૃત્ય કરનારને કુદરત ક્યારેય માફ નથી કરતો. કોરોના જેવી આફતો ન આવે તો બીજું શું થાય ?

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!