પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મતિથી નિમિતે સુશાસન દિવસની ઉજવણી થશે

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મતિથિ ઉપર સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૨૫-૧૨-૨૧ શનિવારનાં રોજ સવારે ૭ઃ૩૦ થી ૧૦ વાગ્યા સુધી જૂનાગઢ શહેરના ૧૦ વિવિધ જાહેર સ્થળો ઉપર ફ્રી બ્લડપ્રેશર અને બ્લડ સુગર/ડાયાબિટીસ પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ લેવલના આ કાર્યમાં જૂનાગઢના ઝાંઝરડા રોડ, જાેષીપરા, ગાંધીચોક, દોલતપરા, મધુરમ, રાયજીબાગ, કાળવા ચોક, ગાંધીગ્રામ, મજેવડી દરવાજા, જલારામ સોસાયટી વગેરે વિસ્તારમાં જાહેર સ્થળો ઉપર નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં ડોક્ટર સેલનાં સંયોજક ડો. શૈલેષ બારમેડા, સહસંયોજક ડો. મહેન્દ્ર તારપરા, ડો. પાનસુરીયા, ડો. ડોડીયા, ડો. મનોજ વાસન, ડો. શ્યામ માકડીયા, ડો. જાની દ્વારા જૂનાગઢના સ્વાસ્થ્ય પ્રેમી લોકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!