નર્મદા કિનારેથી આવેલા સંતે અંબાજી માતાજીની અનોખી સાધના કરી

0

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ગોદ ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં મંદિરે દેશભરમાંથી ભકતજનો દર્શનાર્થે આવી રહયા છે. આ દરમ્યાન નર્મદા કિનારેથી આવેલા એક સંતે પણ અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લીધો હતો. આ સંતે માતાજીની અનોખી ભકિત અને સાધના કરી હતી. અંબાજી માતાજી સમક્ષ આ સંત મહાત્માએ પાંચ આંગળી ઉપર કરેલું આસન અને માતાજીની આરાધનાને લઈ ભકતજનો અભિભુત થયા હતા. આ સંતે જણાવ્યું હતું કે, ગિરનાર ક્ષેત્રની યાત્રામાં તેઓ દર વર્ષે આવે છે. શિવરાત્રી મેળામાં પણ આવે છે. શકિતપીઠ એવા માં અંબાજીના દર્શનનો અનોખો લ્હાવો અને તેની સન્મુખ ગુરૂ મહારાજની કૃપાથી અને સંતોનાં આશીર્વાદથી પાંચ આંગળી ઉપરનાં આસન કરી માતાજીની આરાધના કરી હતી અને કૃતાર્થ ભાવ તેઓએ વ્યકત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!