માળીયા હાટીના તાલુકાનાં જૂથળ ગામે પરિણીતાને સાસરીયા તરફથી ત્રાસની ફરીયાદ

0

જૂનાગઢ જીલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં જૂથળ ગામે રહેતા શિલ્પાબેન સંદિપભાઈ કરડાણી (ઉ.વ.ર૮)એ તેના પતિ સંદિપભાઈ ચંદુભાઈ કરડાણી, સાસુ જાેશનાબેન ચંદુભાઈ, સસરા ચંદુભાઈ તથા નણંદ પરિંદાબેન, નણંદોયા સાવનભાઈ વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી પરિણીતાને ર૦૧પથી આજદિન સુધી તેના સાસરીયા પક્ષનાં લોકોએ આ પરિણીતાનાં લગ્નજીવનનાં ચારેક વર્ષ બાદ તેના પતિ તેમની સારી રીતે રહેતા ન હોય અને કોઈપણ ધ્યાન આપતા ન હોય તે બાબતે સાસુ – સસરાને વાત જણાવતા તેઓએ ઝઘડો કરેલ, તેમજ નણંદ – નણંદોયા સહિતનાં સાસરીયા પક્ષનાંઓએ આ પરિણીતાને ઘરકામ બાબતે તેમજ તું કાળી છો, ગમતી નથી તેમ કહી શારીરિક -માનસીક ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા મહિલા પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!