ચેક રિટર્ન અંગેનાં કેસનાં આરોપીઓને નિર્દોષ ઠરાવતી કોર્ટ

0

જૂનાગઢનાં દંપતિ વિરૂધ્ધ ચેક રિટર્ન અંગેનો માણાવદર કોર્ટમાં કેસ દાખલ થયેલ તે કેસમાં નામદાર કોર્ટે આ દંપતિને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કિસ્સાની વિગત એવી છે કે, માણાવદરનાં રહીશ મહાવીરસિંહ દિનુભા ચૂડાસમાએ માણાવદર કોર્ટમાં જૂનાગઢનાં રહીશ મનીષ નંદલાલ વ્યાસ તથા તેમનાં પત્ની વિરૂધ્ધ રૂપિયા બે લાખ પચાસ હજારનાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કરેલ તે કેસની સુનવણી વખતે આરોપીઓ તરફે જૂનાગઢનાંં ધારાશાસ્ત્રી મનોજ દવેએ નામદાર કોર્ટ સમક્ષ હકકીત તથા કાયદાની જાેગવાઈ અંગે જે દલીલ કરેલ તે દલીલને ધ્યાને લઈ માણાવદરની નામદાર કોર્ટે આ આરોપી સામેનો કેસ પૂરવાર કરવામાં ફરીયાદી નિષ્ફળ ગયેલાનું ઠરાવી આરોપી દંપતિને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!