જીએસટીનાં કમ્મરતોડ ભાવ વધારા સામે  જૂનાગઢમાં આવતીકાલે માંગનાથ રોડ વિસ્તારનાં કાપડનાં વેપારીઓ અડધો દિવસ બંધ રાખશે

0

તાજેતરમાં જ જીએસટીનાં પાંચ ટકાનું ચલણ હતું તેમાં વધારો કરી ૧ર ટકા કરવામાં આવતા તેના વિરોધમાં વેપારી વર્ગ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું એલાન કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં પણ માંગનાથ વિસ્તારમાં આવેલા કાપડનાં વેપારીઓ દ્વારા જીએસટીનાં કમ્મરતોડ વધારાનાં વિરોધમાં આવતીકાલે અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખી વિરોધ નોંધાવશે. એટલું જ નહી ૩૧ ડિસેમ્બરનાં રોજ સાંજનાં ૭ કલાકે બ્લેકઆઉટ કરવામાં આવશે અને ઈલેકટ્રીક સેવા બંધ રાખી મોબાઈલની લાઈટ ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત સુત્રોચ્ચાર કરવામાં આવશે અને જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે તેમ માંગનાથ વિસ્તારનાં કાપડ બજારનાં એસોસીએશનની એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!