પીપળીયા માધુપુર પાસેના કામઈધામ ખાતે શનિવારે સમરસ સમર્પણ વંદના કાર્યક્રમ માટે ચાલતી તડામાર તૈયારી

0

ખંભાળિયા પંથકમાં પીપળીયા માધુપુર પાસે આવેલ શ્રી કામઈધામ માતાજીના મંદિરે આગામી તા.૧-૧-૨૦૨૨ના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિત સાથે સમરસ સમર્પણ વંદના કાર્યક્રમ યોજાનાર છે જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ અંગે તાજેતરમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં સમગ્ર કાર્યક્રમ અંગે અગ્રણીઓ મયુરભાઈ ગઢવી, રામભાઇ ગઢવી, ખીમાભાઇ જાેગલ, હિતેન્દ્રભાઇ આચાર્ય, વિજયભાઈ બુજડ દ્વારા પત્રકારોને રૂપરેખા તથા માહિતી આપવામાં આવી હતી. જેમાં માધુપુરના સરપંચ જાેડાયા હતા. ૧ જાન્યુઆરીના સવારે ૧૧ કલાકે નવકુડી યજ્ઞ યોજાશે જેમાં આસપાસના માતાજીઓ સાથે બ્રાહ્મણો યજ્ઞ કરશે. ત્યારબાદ અઢાર ટેબ્લો સાથે છડી યાત્રા નિકળશે જેમાં ૨૧ ખુલ્લી જીપોમાં  ભાવિકો-જ્ઞાતિજનો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તથા રાજ્યભરના આગેવાનો જાેડાશે. છડી યાત્રાનું ઠેરઠેર સ્વાગત થશે તેમજ ૫૦ ઢોલી સાથે બંને તરફ હજરો મહિલાઓ છડી ઉપર પુષ્પવર્ષા કરશે. ૩૦૦થી વધુ બ્રાહ્મણો, ૧૧,૧૧૧ દીવાની આરતી તથા આંબાવાડી કલાવૃંદની બહેનો માથા ઉપર સળગતી આરતી સાથે જાેડાશે. જે પ્રસંગ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય તે અંગે પણ તજવીજ હાથ ધરાઇ છે. રાજેન્દ્ર હેમુદાન ગઢવીએ લખેલ મહાઆરતી કીર્તિદાન ગઢવી તથા કલાકારો ગાશે જેનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે. આ ઉપરાંત સાંજ સુધી અનેક ધાર્મિક આયોજનો હાથ ધરાશે તેમ અગ્રણીઓ દ્વારા પત્રકારોને જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!