પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ : પ્રેમીએજ પ્રેમિકાની હત્યા કરી હતી :  ભવનાથ જંગલમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો

0

રાજકોટની ગર્ભવતી યુવતીની જૂનાગઢના ભવનાથ જંગલમાં ચકચારી હત્યા કરવામાં આવી છે. છેલ્લા ચારેક વર્ષથી રાજકોટના બુટલેગર મનસુખ જાદવ નામના શખ્સ સાથે લીવ-ઈન રિલેશનશીપમાં રહેતી હતી. છેલ્લા ઘણા સમયથી મનસુખ અને ઉર્મિલા વચ્ચે આડાસંબંધને લઇ વિવાદ ચાલતો હતો. તેવામાં મનસુખે પોતાના મનમાં ઉર્મિલાની હત્યા કરવાનો પ્લાન કરી લીધો અને બંને ગત ૮ તારીખના જૂનાગઢ આવ્યા હતા અને ત્યાંથી ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી જંગલ વિસ્તારમાં લઇ ગયો અને  ત્યાં છરીના ઘા મારી હત્યા કરીના નાંખી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનો આરોપી મનસુખ પ્રોહીબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે અને પાસામાં જેલની હવા ખાઇ આવ્યો છે. મૃતક ઉર્મિલાને ગર્ભ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે પ્રેમીએજ પ્રેમિકાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે ત્યારે પોલીસે પણ ગણતરીના દિવસો માં ભેદ ઉકેલી નાખ્યો છે. રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી ઉર્મિલા નામની યુવતી છેલ્લા ચારેક વર્ષથી રાજકોટના બુટલેગર મનસુખ જાદવ નામના શખ્સ સાથે લીવ-ઈન રિલેશનશીપમાં રહેતી હતી, છેલ્લા ઘણા સમયથી મનસુખ અને ઉર્મિલા વચ્ચે આડાસંબંધને લઇ વિવાદ ચાલતો હતો. તેવામાં મનસુખે પોતાના મનમાં ઉર્મિલાની હત્યા કરવાનો પ્લાન કરી લીધો અને બંને ગત આઠ તારીખના જૂનાગઢ આવ્યા હતા. અને ત્યાંથી ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ  દર્શન કરવા જવાનું કહી જંગલ વિસ્તારમાં લઇ ગયેલ ત્યાં છરીના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી, હત્યા કર્યા બાદ મનસુખ પોતે એકલો જાેવા મળતો હતો જેથી તેના પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતાં તેની માતાએ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ઉર્મિલા ગુમ થઈ હોવાની અરજી આપી હતી જેના આધારે રાજકોટ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સની મદદ લઈને મનસુખનું લોકેશન મેળવી તેની પુછપરછ કરી હતી. પુછપરછ દરમ્યાન ઉર્મિલાની જૂનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં હત્યા કરી હોવાની કબુલાત આપતા તુરંતજ રાજકોટ પોલીસ જૂનાગઢ આવી જૂનાગઢ પોલીસની મદદ મેળવી ભવનાથ વિસ્તારમાં જંગલોમાં મૃતદેહની શોધખોળ કરી અને મનસુખે હત્યા વાળી જગ્યા બતાવી જયાં ઉર્મિલાનો મૃતદેહ પડ્યો હતો. મૃતદેહનો એક હાથ દીપડો ખાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મૃતક ઉર્મિલાની માતાની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી આરોપી મનસુખની ધરપકડ કરી લીધી છે, એક તરફ ભવનાથના જંગલ વિસ્તારમાં ઉર્મિલાના મૃતદેહની બાજુમાં સિંહો ગર્જના કરતા હતા અને પોલીસે મહામહેનતે મૃતદેહને જંગલમાંથી બહાર કાઢી પી.એમ.અર્થે ખસેડાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનો આરોપી મનસુખ પ્રોહીબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે અને પાસામાં જેલની હવા ખાઇ આવ્યો છે. મૃતક ઉર્મિલાને ગર્ભ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે પ્રેમીએજ પ્રેમિકાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે ત્યારે પોલીસે પણ ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. જ્યારે વધુ એક પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!