જૂનાગઢ સહકારી બેંક અને ગુજરાત રાજય સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે  તાલાળા માર્કેટ યાર્ડમાં ખેડૂત શિબિર યોજાઈ,  સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ

0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ જૂનાગઢ સહકારી બેંક અને ગુજરાત રાજય સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે ગીર-સોમનાથ તાલાળા માર્કેટ યાર્ડમાં ખેડૂત શિબિર કાર્યક્રમ તથા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધતા સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોની ચિંતા કરી છે અને તેમની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો અને તે દિશામાં કામો પણ શરૂ કર્યા. ખેડૂતોને જરૂરિયાતની તમામ વ્યવસ્થા જેવી કે પાણી, વિજળી, સારા રસ્તાઓ આપવા તે તમામ વિકાસલક્ષી કાર્યો શરૂ કર્યા છે. રાજયમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ૨૧મી સદીમાં ખેડૂત પણ ટેકનોલોજીનો ઉપયોગ કરે તે વ્યવસ્થા સંગઠનના માધ્યમથી સી.આર. પાટીલના નેતૃત્વમાં થઇ તે બદલ તેમનો આભાર માન્યો હતો. રાજયમાં આવનાર વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષનો સંકલ્પ છે કે, આપણે ૧૮૨ વિધાનસભા બેઠકો જીતવી, તો આપણે સૌ સાથે મળી જૂનાગઢ અને ગીર-સોમનાથની સાતેય વિધાનસભા જીતીએ તે વિશ્વાસ સાથે આગળ વધીએ તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, કોઇ બેંક શિબિર કરે, ખેડૂતોને આમંત્રિત કરે, ખેડૂતોના હિતની વાત કરે અને ખેડૂત ભાઇઓને મદદ કરવાનો સફળ પ્રયાસ કરે છે તે માટે બેંકના ડિરેકટર, ચેરમેન અને સૌ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. ખેડૂત એ જગતનો તાત કહેવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી ખેડૂતો માટે “કૃષિરથ” થકી ગામે ગામ વૈજ્ઞાનિકો સાથે રાખી સંમેલન કરાવ્યા, જેથી ખેડૂતોને ખેતીમાં વધુ જાણકારી મળે, સારો પાક કરી શકે અને ખેડૂતોની આવક વધી શકે તે દિશામાં પ્રયાસ કર્યા. ખેતીમાં કપાસમાં હવે સારો ભાવ મળતો થયો છે. કપાસમાં સારા ભાવ મળવા પાછળ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આયોજન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક વધે તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા. ખેડૂતો પોતાના બાળકોને સારૂ શિક્ષણ આપી શકે તે માટે પ્રયત્નો કર્યા, ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવ્યા છે. ખેડૂતોને એક યોજના અંતર્ગત ખેડૂતોને ૩ લાખ રૂપિયા ૦ ટકા વ્યાજદરે મળે છે તે અંગે માહિતી આપી હતી.  કોંગ્રેસની સરકારમાં ખેડૂતના હિત અંગે કોઇ યોજનાઓ બની નથી. કોંગ્રેસની સરકારે ખેડૂતોની ચિંતા ક્યારેય કરી જ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની ચિંતા કરી અને વર્ષ દરમ્યાન ખેડૂતોને ૬ હજાર રૂપિયાની સહાય તેમના ખાતામાં સીધા જમા કરાવ્યા. આખા રાજયમાં ૩૬૦ જેટલી સહકારી સંસ્થાઓ છે જેમાં સુગર ફેકટકી, ડેરીઓ, કો-ઓપરેટીવ બેંક, એ.પી.એમ.સીે. માર્કેટ, ખેતી બેંક આવી તમામ સહકારી સંસ્થાઓમાંથી ૩૦૨ જેટલી સંસ્થાઓમાં ભાજપના કાર્યકરો જવાબદારી સંભાળે છે. પહેલાના સમયમાં ખાડે ગયેલી કેટલીય સહકારી સંસ્થાઓને ભાજપના આગેવાનોએ જવાબદારી મળતાની સાથે આજે ફરી મજબૂત કરી છે અને આજે પણ પ્રજાના હિત માટે કામ કરી રહી છે.

error: Content is protected !!