શિવરાત્રીએ સોમનાથમાં આઠ જેટલા ભંડારા ધમધમતા થયા, બપોર સુધીમાં અડધા લાખ ભાવિકોએ ફરાળ-પ્રસાદીનો લાભ લીધો

0

મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરે દુર દુરથી આવતા ભાવિકોને પ્રસાદીમાં ફરાળ મળી રહે તે માટે જુદી-જુદી સેવાભાવિ સંસ્થાઓ અને લોકો દ્વારા આઠ જેટલા ભંડારાઓનું આયોજન કરેલ છે. શિવરાત્રીના દિવસ દરમ્યાન એક લાખથી વધુ ભાવિકો ફરાળહાર પ્રસાદી લઇ શકે તેવું આ ઓયોજન સંસ્થાઓ દ્વારા કરાયેલ છે. આ ભંડારાઓમાં ગઈકાલે બપોર સુધીમાં અડધા લાખ જેટલા ભાવિકો પ્રસાદી લઇ ચુકયા હોવાનું અંદાજ વ્યકત કરાયો છે. આ વર્ષે હાલ કોરોના તળીયે હોવાથી ભાવિકોનું ઘોડાપુર યાત્રાધામ સોમનાથમાં અવિરત ઉમટી રહયુ હોવાથી ભંડારામાં પણ ભાવપુર્વક દુર દુર તથા આસપાસના ગામોમાંથી આવતા લોકો પરીવાર સાથે પ્રસાદી લઇ રહયા છે.
ભકિત, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમી ભંડારાની અનેરી સેવા અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના અધિકારી દિલીપ ચાવડા, વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, ઘણા વર્ષોથી શિવરાત્રીએ મંદિર પરીસર આસપાસ ત્રણ થી ચાર ભંડારાના આયોજનો સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા હતા. જેની સામે આ વર્ષે આઠ જેટલી સેવાભાવિ સંસ્થાઓ દ્વારા ભંડારા યોજી રહી છે. જેમાં કોરોનાના ગાઇડલાઇન મુજબ ચોપાટી ખાતેના ગ્રાઉન્ડ, જુના મંદિરની પાસે સહિતના સ્થળોએ ભંડારા યોજવાની વ્યવસ્થા ઉભી કરાયેલ છે. આઠ ભંડારામાં શિવ દરબાર આશ્રમ (પૂ.ઉષામાં)-કાનાતળાવ, બાબા ઉમાકાંતજી મહારાજ ભંડારા (ઉજ્જૈન), વી.ટી.શુકલા પરીવાર, યુપીના અલીગઢના ગુપ્તાજી (જય સોમનાથ ટ્રાન્સપોર્ટ અને ફુડસ પ્રા.લી.) ભંડારા, જય ગાત્રાળ માં – જય પાલાઆતા ટ્રસ્ટ, માં પરિવાર-સોમનાથ ટ્રસ્ટ, હરિઓમ સેવા મંડળ-મુંબઇ સહિતની સેવાભાવિ સંસ્થાના અને લોકો દ્વારા ભંડારા યોજવામાં આવેલ છે. આ તમામ ભંડારામાં સવારથી સાંજ સુધીમાં એક લાખથી વધુ ભાવિકો ફળાહારની પ્રસાદી લઇ શકે તેવી તૈયારીઓ આઠેય ભંડારામાં કરાઇ છે. ભંડારાના સ્થળે ભીડ ન થાય અને ગાઇડલાઇનનું પાલન સાથે લોકો ફળાહાર પ્રસાદી લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલ સવારથી જ ભંડારામાં અવિરત ભાવિકો આવી પ્રસાદી લઇ રહયા છે. ભંડારાની અનેરી સેવા સાથે જાેડાયેલા સોમનાથના બ્રહમ સમાજના અગ્રણી અને કેટરીંગ એસો.ના પ્રમુખ મિલનભાઇ જાેશીએ એક વાતચીતમાં જણાવેલ કે, મહાશિવરાત્રીએ દુર દુર તથા આસપાસના ગામો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સોમનાથ સાંનિઘ્યે આવતા ભાવિકો માટે જુદી-જુદી સંસ્થાઓ અને સેવાભાવિ લોકો દ્વારા ફળાહાર પ્રસાદી વિતરણ માટેના ભંડારા યોજવામાં આવેલ છે. ભંડારામાં સુકીભાજી, રાજીગરાના લોટનો દેશી ઘીનો શીરો, રાજીગરાની પુરી, સાંબાની ખીચડી, ગાજરનો હલવો, ફરાળી ચેવડો, માંડવીની સુકીભાજી, ફળો સહિતની ફળાહારની પ્રસાદીનું ભાવિકોને વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પ્રત્યેક ભંડારામાં દસ થી પંદર હજાર ભાવિકો ફળાહાર પ્રસાદી લઇ શકે તેવી તૈયારીઓ સંસ્થાઓએ અગાઉથી જ કરી રાખી છે. વધુમાં મિલનભાઇએ જણાવેલ કે, માં પરીવાર અને સોમનાથ ટ્રસ્ટના ભંડારાની વાત કરીએ તો તેમાં ૧૫ હજાર ભાવિકોને પ્રસાદી વિતરણ કરી શકાય તેવી તૈયારી કરાયેલ છે. જેના માટે ૫૦૦ કીલો રાજીગરાના લોટમાંથી શીરો અને પુરી, ૨૫૦ કીલો મોર્યની ખીચડી, ૨૫૦૦ કીલો બટાટાની સુકી ભાજી, ૨૦ ડબ્બા ઘી માંથી ફળાહાર પ્રસાદી તૈયાર કરવામાં આવી છે. આ સાથે ૨૫૦૦ લીટર છાશનું પણ વિતરણ કરવામાં આવેલ છે. આ ભંડારામાં ગઈકાલે બપોરે ૨ઃ૩૦ વાગ્યા સુધીમાં દસેક હજાર ભાવિકો પ્રસાદીનો લાભ લઇ ચુકયા છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા બારેક વર્ષથી મહાશિવરાત્રીએ સોમનાથ સાંનિઘ્યે ભંડારા યોજાઇ રહયા છે. દર વર્ષે ભંડારામાં પોણાથી એક લાખથી વધુ ભાવિકો પ્રસાદીનો લ્હાવો લેતા હોય છે. જેમાં ગત વર્ષે કોરોના મહામારીના લીધે ભાવિકોની સંખ્યા અડધો અડધ જાેવા મળી હતી. જાે કે તેની સામે ચાલુ વર્ષે કોરોના તળીયે હોવાથી ગઈકાલે શિવરાત્રીએ વહેલી સવારથી જ શિવભકતોનો મોટો સમુહ યાત્રાધામમાં ઉમટેલો જાેવા મળી રહયો હોવાથી ભંડારાનું આયોજન કરતી સંસ્થાઓ અને સેવાભાવિઓ દ્વારા એક લાથી વધુ ભાવિકો પ્રસાદી લેશે તેવી ધારણા સાથેની તૈયારીઓ કરી હોવાનું ભંડારા સંચાલકો પાસેથી જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!