ઉપલા દાતાર ખાતે પટેલ બાપુની ૩રમી પુણ્યતિથી સોમવારે ઉજવાશે

0

જૂનાગઢનાં ઉપલા દાતાર ખાતે બ્રહ્મલીન મહંત પટેલ બાપુની ફાગણ સુદ ૭ને સોમવારે ૩રમી પુણ્યતિથીની ઉજવણી કરાશે. આ અંગે વર્તમાન મહંત ભીમબાપુએ જણાવ્યું હતું કે, પટેલ બાપુની પુણ્યતિથીની ભારે આસ્થા સાથે ઉજવણી કરવામાં આવશે. સોમવારે સવારે યજ્ઞ તેમજ ૧૦ વાગ્યે પટેલ બાપુની સમાધીનું શાસ્ત્રોકત વિધી વિધાન સાથે પૂજન કરાશે. બપોરનાં ૧ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જયારે રાત્રીનાં ૧૦ કલાકે ભજન સંધ્યાનો કાર્યક્રમ રજુ થશે. આ ભજન સંધ્યામાં નિરંજન પંડયા, બિરજુ બારોટ, શૈલેષ મહારાજ સહિતનાં કલાકારો સંતવાણી રજુ કરશે. ત્યારે આ ધાર્મિક પ્રસંગે ભાવિકો-ભકતોને તેમજ વિશાળ સંખ્યામાં શિષ્યો-સંવકગણોને ઉપસ્થિત રહેવા ભીમબાપુએ અનુરોધ કર્યો છે. દરમ્યાન પટેલ બાપુની પુણ્યતિથીની ઉજવણીને લઈ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!