જૂનાગઢ શિવરાત્રી મેળો નિર્વિધ્ને સંપન્ન થતાં વહીવટી તંત્રનો ગિરનાર મંડળનાં સંતો વતી આભાર વ્યકત કરતા પૂ. ઈન્દ્રભારતી બાપુ

0

જૂનાગઢ મહાશિવરાત્રીનાં પાંચ દિવસીય મેળાનું ખુબ ટુંકાગાળામાં સફળતાપૂર્વક આયોજન કરી નિર્વિધ્ને સંપન્ન થતાં વહીવટી તંત્રનો આભાર પૂ. ઈન્દ્રભારતી બાપુ વ્યકત કરેલ હતો. પૂ. ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી પર્વ મેળામાં વહીવટી તંત્ર ઈન્ચાર્જ કલેકટર મિરાંત પરીખ, મ્યુ. કમિશ્નર રાજેશ તન્ના, જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, વન વિભાગ, કોર્પોરેશન અને વિવિધ વિભાગનાં અધિકારીઓ પોલીસ તંત્ર તેમજ રાજકીય આગેવાનો પદાધિકારીઓની કુનેહથી આ મહાશિવરાત્રીનો મેળો સુખરૂપ સંપન્ન થતાં શ્રી પંચદશનામ જુના અખાડાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગિરનાર મંડળનાં પ્રમુખ પૂ. ઈન્દ્રભારતીબાપુએ તમામનો સાધુ સંતો વતી આભાર વ્યકત કર્યો છે અને અભિનંદન પાઠવ્યા છે અને તમામની કામગીરીને બિરદાવી હતી.

error: Content is protected !!