પોલીસ દ્વારા કબ્જે કરાયેલા ૩૦૩ વાહનોની થયેલ હરરાજી : રૂા.૧૪.૩૭ લાખ ઉપજયા

0

જૂનાગઢ જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના  એ ડિવિઝન ખાતેના  ટુ વ્હીલર ૭૩, ઓટો રીક્ષા ૧૫ કુલ ૮૮ વાહનો, વિસાવદર પોલીસ સ્ટેશનના ટુ વ્હીલર ૮૨ તથા ટ્રાફિક શાખાના ટુ વ્હીલર ૯૮, થ્રી વ્હીલર ૩૪, ફોરવ્હીલ ૦૧  કુલ ૧૩૩ વાહનો મળી, એ ડિવિઝન, વિસાવદર તથા ટ્રાફિક શાખા ખાતે કબજે કરવામાં આવેલ કુલ ૩૦૩ વાહનો બાબતે માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તેવા વાહનોના હરરાજીના હુકમો મેળવી, તમામ કાર્યવાહી પૂર્ણ કરી તા.૬-૩-૨૦૨૨ના રોજ હરરાજી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જે જાહેર હરરાજી દરમ્યાન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના ૮૮ વાહનોની હરરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી બોલનાર વેપારી દ્વારા રૂા.૩,૬૧,૦૦૦/- બોલવામાં આવતા ૧૮ ટકા જીએસટી મળી, કુલ આશરે રૂા.૪,૨૫,૯૮૦/- જેટલી રકમ સરકારમાં જમા થશે. એજ રીતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતેના ૮૨ વાહનોની હરરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી વેપારી દ્વારા રૂા.૨,૬૧,૦૦૦/- બોલવામાં આવતા ૧૮ ટકા જીએસટી મળી, કુલ આશરે રૂા.૩,૦૭,૯૮૦/- જેટલી રકમ સરકારમાં જમા થશે. ટ્રાફિક શાખા ખાતેના ૧૩૩ વાહનોની હરરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી વેપારી દ્વારા રૂા. ૬,૨૫,૦૦૦/- બોલવામાં આવતા ૧૮ટકા જીએસટી મળી, કુલ આશરે રૂા.૭,૦૩,૯૮૦/- જેટલી રકમ સરકારમાં જમા થશે. જેથી, જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન, વિસાવદર પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખા ખાતે કબજે કરવામાં આવેલ વાહનોની હરરાજીમાં રસ ધરાવતા ૬૦ જેટલા વેપારીઓએ ભાગ લીધેલ હતો અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડિવિઝન પીઆઇ એમ.એમ.વાઢેર, વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. શાહ, ટ્રાફિક શાખાના પીએસઆઈ પી.જે.બોદર, આરટીઓ કે.જે. મોઢ, મામલતદાર કચેરીના નાયબ મામલતદારશ્રી ખમલ, ઇન્ચાર્જ એમટીઓ પીએસઆઈ પિયુષ જાેશી, એકાઉન્ટ રાઇટર હેડ હાજીભાઈ, નારણભાઈ, શબ્બીરભાઈ, રાજુભાઈ સહિતની કમિટી દ્વારા એમટી, જૂનાગઢ ખાતે જૂનાગઢ પોલીસ દ્વારા એ ડિવિઝન, વિસાવદર પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખાના કુલ આશરે ૩૦૩ વાહનોની જાહેર હરરાજી યોજી, કુલ આશરે રૂા.૧૫ લાખ જેટલી કિંમત ઉપજેલ છે, જે સરકારમાં જમા કરાવવા તજવીજ કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ પહેલીવાર વાહનોની હરરાજી યોજવામાં આવી રહેલ છે. આ પહેલા ભવનાથ પોલીસ સ્ટેશન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ વાહનોની હરરાજી કરવામાં આવેલ હતી. વાહનોની હરરાજી હે.કો.  ભાવેશભાઈ, મનીષભાઈ, સાગરભાઈ સહિતના પોલીસ ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી. વાહનોની હરરાજી થતા, પોલીસ સ્ટેશનમાં ભંગાર થતા અને ભરાવો ઓછો થતા, રાહત પણ થશે. જૂનાગઢ જિલ્લાના બાકીના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં હરરાજીની કાર્યવાહી જેમ જેમ પૂર્ણ થતાં, હજુ બીજા પોલીસ સ્ટેશન ખાતે પણ પડેલા વાહનોની જાહેર હરરાજી યોજવામાં આવશે, તેવું જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!