આજે ઉપલા દાતાર ખાતે પૂ. પટેલ બાપુની પૂણ્યતિથિની ઉજવણી

0

જૂનાગઢ ઉપલા દાતારનાં બ્રહ્મલીન મહંત પૂ. પટેલ બાપુની ફાગણ સુદ-પ આજે તા. ૭-૩-રરનાં રોજ ૩રમી પૂણ્યતિથિ હોય જેની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહંત પૂ. ભીમબાપુએ જણાવ્યું હતું કે આજે સોમવારે સવારે યજ્ઞ તેમજ સવારે ૧૦ કલાકે પૂ. પટેલ બાપુની સમાધિનું શાસ્ત્રોકતવિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું. બપોરે ૧ કલાકે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. આજે રાત્રે ૧૦ કલાકે ભજન સંધ્યાનાં કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ ભજનીક નીરંજનભાઈ પંડયા તેમજ બિરજુ બારોટ, શૈલેષ મહારાજ સહીતનાં કલાકારો પોતાની આગવી શૈલીમાં કલા પીરસશે. આ અમુલ્ય અવસરે જાહેર જનતાને ઉપસ્થિત રહેવા પૂ. ભીમબાપુએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!