હિન્દુ ધર્મસેનામાં સૌરાષ્ટ્ર ઝોન સંરક્ષક તરીકે સતાધારનાં પૂ. વિજયબાપુની થયેલ વરણી

0

જૂનાગઢનાં સતાધારમાં આવેલા પૂ. આપા ગીગાની જગ્યાના મહંત  પૂ. વિજયબાપુની હિન્દુ ધર્મ સેનામાં સૌરાષ્ટ્ર ઝોન સંરક્ષક તરીકે વરણી કરવામાં આવી છે. અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની કાર્યકારિણીની બેઠક સંતરામ મંદિર, નડીયાદ ખાતે  તા.૧૭-૮-ર૦ર૧ના રોજ મળેલ હતી. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના બંધારણની જાેગવાઇ મુજબ ગુજરાતમાં જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે હિંદુ ધર્મ સેનાની રચના કરવાનું ઠરાવેલ છે. જેમાં પ.પૂ. મહંત વિજયબાપુ સતાધાર મહંતની હિંદુ ધર્મ સેનામાં સૌરાષ્ટ્ર ઝોન સંરક્ષક તરીકે નિયુકત કરવામાં આવે છે. અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત અંતર્ગત રહીને હિંદુ ધર્મ સેનાએ ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા, મંદિર, સંત ગૌ-ગંગા રક્ષાના કાર્યને જીવન મંત્ર બનાવીને અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાતના અધ્યક્ષ અને મહામંત્રીના ર્નિણય અને માર્ગદર્શન અનુસાર કાર્ય-યોજનાને સાકાર સ્વરૂપ આપવા અંગેનું કાર્ય કરવાનું રહેશે. તેમ અખિલ ભારતીય સંત સમિતીના પ્રમુખે જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!