દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં પાંચ બાળકોના બેંક ખાતામાં સીધી સહાય સાથે કિટનું વિતરણ કરાયું

0

કોરોના મહામારીના કારણે સામાજિક, શૈક્ષણિક, માનસિક, આર્થિક સહિતના ક્ષેત્રો ઉપર લાંબાગાળાની અસરો થઇ છે. કોરોના મહામારીમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાંચ બાળકોના ખાતામાં ડીબીટીના માધ્યમથી નાણાં ટ્રાન્સફર કરી જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતેના કોન્ફરન્સ મિટિંગ હોલમાં લાભાર્થી બાળકોને જિલ્લા કલેકટરના હસ્તે કીટ અર્પણ કરવામાં આવી હતી. લાભાર્થી બાળકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આશીર્વાદ આપ્યા હતા. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કાર્યક્રમનું વર્ચ્યુઅલી આયોજન કરાયું હતું.
વડાપ્રધાને ૨૯મે, ૨૦૨૧ના રોજ કોરોનાના સમયગાળા દરમ્યાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને પીએમ કેયર્સ ફંડ હેઠળ સહાય આપવાની જાહેરાત કરી હતી. પીએમ કેયર્સ ફોર ચિલ઼્ડ્રન યોજના અન્વયે બાળકોને આર્ત્મનિભર બનાવવા માટે ૧૮ થી ૨૩ વર્ષ સુધી માસિક સ્ટાઈ પેન્ડ રૂા.૪૦૦૦ લેખે વાર્ષિક રૂા.૪૮,૦૦૦ ચૂકવવામાં આવશે. તદુપરાંત બાળકની ઉંમર ૨૩ વર્ષ થાય ત્યારે સરકાર દ્વારા રૂા.૧૦ લાખ આપવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાનએ બાળકોને હિંમત આપતા વર્ચ્યુઅલી સંબોધ્યું હતું કે, તમારી આ કપરી સ્થિતિમાં સમગ્ર દેશ તમારી સાથે છે. મા ભારતી તમારી સાથે છે. દેશવાસીઓએ પોતાની જીવનમૂડી, પરસેવાની કમાણી આ પીએમ કેયર્સ ફંડમાં આપી સહભાગી થવા પ્રયત્ન કરાયો છે. હારને હતાશામાં ન બદલી સતત આગળ વધવાનો પ્રયત્ન કરવો જાેઈએ.વધુમાં બાળકોને સારા પુસ્તકો વાંચવા, ફિટ ઈન્ડિયા, ખેલો ઈન્ડિયા, યોગ જેવી ઈવેન્ટમાં જાેડાવવા પણ કહ્યું હતું. વડાપ્રધાને બાળકોને આર્શીવાદ આપીને જીવનમાં ખૂબ જ આગળ વધો એવી શુભેચ્છા પાઠવી હતી.
૫ીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૫ બાળકોને આ યોજના હેઠળ આવરી લેવાયા છે. જેમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે બાળકોને પ્રતિમાસ રૂા.૪૦૦૦ લેખે વાર્ષિક રૂા.૪૮,૦૦૦ની આર્થિક સહાય સીધા જ તેમના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવશે. આ ઉપરાંત,પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજનામાં બાળકોની ઉંમર ૧૮ વર્ષની થાય ત્યા સુધી કેન્દ્ર સરકારની સ્પોન્સરશીપ યોજના અંતર્ગત માસિક રૂા.૨૦૦૦ મુજબ વાર્ષિક રૂા.૨૪૦૦૦ની સહાય આપવામાં આવશે. બાળકોને એક્સ ગ્રેસિયા અંતર્ગત સહાયની પણ વ્યવસ્થા કરાઈ છે જેમાં રૂા.૫૦૦૦૦ની આર્થિક મદદ કરવામાં આવશે.આ ઉપરાંત આયુષ્માન ભારત યોજના હેઠળ બાળકોને આરોગ્યની સુવિધાના લાભની સાથે રૂા.૫ લાખ સુધીનું વીમા કવચ પૂરૂ પડાયું છે.
આ પ્રસંગે કલેકટરે બાળકોને જણાવ્યું હતું કે, બાળકોએ માતા પિતા ગુમાવ્યા એ કદી ના પુરી શકાય તેવી ખોટ છે. પરંતુ સમગ્ર સમાજ તમારી સાથે છે. વધુમાં બાળકોને જણાવ્યું કે તમને કોઈ પણ મુશ્કેલી પડે તો તમારા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. પાલક માતા પિતાને વિનંતી કે શક્ય તેટલું વધુ બાળકોને સ્નેહ આપો. તેમના ભવિષ્યને યોગ્ય દિશામાં વાળો. અને બાળકોને પણ ખુબ આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી
હતી.

error: Content is protected !!