જૂનાગઢની પરિણીતાને સાસરીયાએ મારકુટ કરી પાંચમાં માળેથી ફેંકી દેવાની ધમકી આપી : અમદાવાદી પતિ અને સાસુ સામે ફરિયાદ

0

જૂનાગઢની એક પરિણીતાને સાસરીયાએ મારકુટ કરી અને પાંચમાં માળેથી ફેંકી દેવાની ધમકી આપી હોવાનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે. હાલ જૂનાગઢમાં એમ.જી. રોડ સ્થિત મજમુદારનાં ડેલામાં રહેતા ૪૦ વર્ષીય દિશાબેનનાં લગ્ન વર્ષ ર૦૧૭માં અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતાં રચિતભાઇ અશ્વિનભાઇ ધોળકીયા સાથે થયેલ. પરંતુ પતિ રચિત કોઇપણ જાતના ઘર સંસાર બાબતે સંબંધો રાખતા ન હોય આથી દિશાબેને આ અંગે પતિ રચિતને પુછયું હતું. પરંતુ રચિતભાઇને પત્નીની વાતનું સારૂ નહિ લાગતાં તેણે તેની માતાને વાત કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતાં. બાદમાં મા-દિકરાએ પ્રેરણાબેનને મારકુટ કરી અને એપાર્ટમેન્ટનાં પાંચમાં માળેથી ફેંકી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ પતિ-સાસુએ દુઃખ ત્રાસ આપી માવતરેથી પૈસા લાવવાનું કહેતા રૂા.૧.રપ લાખ લાવી આપવા ઉપરાંત દવાખાનાનો ખર્ચ પણ આપવા છતાં દિશાબેનને પહેરેલ કપડે કાઢી મુકયા હતાં. આ અંગે દિશાબેનની ફરીયાદનાં આધારે જૂનાગઢ મહિલા પોલીસે કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પી.આઇ. કે.ડી. કરમટા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!