દ્વારકાધીશ મંદિરમાં ઉષ્મકાલીન સમયમાં ઠાકોરજીના આંબા મનોરથનો લાખો ભાવિકોએ લાભ લીધો

0

દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને ગરમીના પ્રકોપથી બચવા ઉષ્મકાલીન પુષ્પશ્રૃંગાર તેમજ ઋતુઅનાસર ઠંડક પહોંચાડે તેવા આહારો સાથેના ઠંડા ભોગ અર્પણ કરી શીતલતાનો ભાવ અર્પણ કરાય છે. આજરોજ ઠાકોરજીના પરમભક્ત દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી દ્વારકાધીશ જગતમંદિરમાં આંબા મનોરથ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત હજારો ભાવિકો તેમજ ઓનલાઈન માધ્યમથી દેશ વિદેશના ભાવિકોએ ઠાકોરજીના દૈદિપ્યમાન શ્રૃંગાર સાથેના ગ્રીષ્મકાલીન આંબા મનોરથના દર્શનનો લાભ લઈ ભાવવિભોર બન્યા હતા.

error: Content is protected !!