જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું દેવીપુજક સમાજ દ્વારા અભિવાદન

0

જૂનાગઢનાં જાંબાઝ, બાહોશ, સેવાભાવી તથા પોલીસ પ્રજાની મિત્ર છે સૂત્રને સાર્થક કરનાર કર્મઠ અને કર્તવ્ય નિષ્ઠ નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનું દેવીપુજક સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં એક માનવ જીંદગી બચાવવા પોલીસ પ્રોટેકશન સાથે ફકત બાવીસ મીનીટમાં જૂનાગઢથી કેશોદ એરપોર્ટ સુધી માનવ અંગો પહોંચાડવાનું સાહસિક કાર્ય સંપન્ન કરવામાં ટ્રેનને પણ પાંચ મીનીટ થંભાવીને પોતાનાં શુભ અને સેવા કાર્યનાં લક્ષ્યને અંજામ આપવામાં સફળ રહેલા જાડેજા પોલીસ બેડા સહિત આમ જનતામાં ખૂબ લોકપ્રિય બન્યા હતા. હંમેશા પક્ષકારો વચ્ચે સમાધાનકારી વલણ અપનાવી મોટા ભાગનાં કેસોમાં સમાધાન કરાવવા પંકાયેલા તેમજ સેવાકિય કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું દેવીપુજક સમાજની જાણીતી સેવાભાવી સંસ્થાઓ વિરાટ દેવીપુજક સંઘ જૂનાગઢ તથા સોૈરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશન-બોટાદ તથા સમસ્ત દેવીપુજક સમાજ દ્વારા જૂનાગઢમાં પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે જૂનાગઢનાં જાણીતા ધારાશાસ્ત્રી ઘનશ્યામભાઈ પરમાર, ઉપપ્રમુખ વિરાટદેવીપુજક સંઘ ગુજરાત પ્રદેશ-જૂનાગઢ, પરેશભાઈ પરમાર, ઉપપ્રમુખ વિરાટદેવીપુજક(જૂનાગઢ શહેર), દેવીપુજક અગ્રણી ભુપતભાઈ પરમાર, મહામંત્રી ભરતભાઈ સોલંકી, મહામંત્રી ભરતભાઈ મકવાણા, તાલુકા મહામંત્રી હરસુખભાઈ ઝાલા, મંત્રી વિજયભાઈ કટારીયા, સોૈરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશનનાં વિક્રાંતભાઈ પરમાર-બિલખા તેમજ દેવીપુજક અગ્રણી સુરેશભાઈ ઝાલા તથા ધ્યેયકુમાર પરમાર સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!