જૂનાગઢનાં શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે એકાદશીની ઉજવણી

0

જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા અને ભગવાન સ્વામીનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો જયાં બિરાજમાન છે અને ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે તેવા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે એકાદશી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. મંદિરનાં કોઠારી સ્વામી શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજ, પી.પી. સ્વામી, કુંજ સ્વામી સહિતનાં સંતો અને રાધારમણદેવ ટેમ્પલ સમિતિનાં ચેરમેન દેવનંદનસ્વામીનાં માર્ગદર્શન હેઠળ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને હરીભકતો અને ભાવિકો દર્શનનો લાભ લેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!