કેશોદમાં પ્રથમ વખત લાઈવ મુવિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું

0

કેશોદ શહેરમાં કૃષ્ણ નગર સોસાયટી વિસ્તારમાં શ્રી ગોપેશ્વર મહાદેવ નવ નિર્માણ થયેલ મંદિરમાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસારને આજની ભાવી પેઢીને માહીતગાર બનાવવા માટે કેશોદ વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળ ગૌરક્ષાદળ દુર્ગાવાહીની માતૃ શકિત કેશોદ પ્રખંડ દ્વારા કેશોદ શહેરમાં પ્રથમ વખત લાઈવ મુવિંગ ઈવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખોડીયાર અવતરણ, સમુદ્ર મંથન, ગંગા અવતરણ, રામાયણ, મહાભારત, શિવ રૂદ્ર અભિષેક સહિતનું મુવિંગ પ્રદર્શન યોજવામાં આવેલ છે. જે ત્રણ દિવસ યોજાનાર હોય લાઈવ મુવિંગ ઈવેન્ટ નિહાળવા વિશ્વ હિન્દુ પરિષદ તથા ગોપેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ ધર્મ પ્રેમી જાહેર જનતાને પરીવાર સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લાઈવ મુવિંગ ઈવેન્ટ શુભારંભ પ્રસંગે સૌરાષ્ટ્રભરના વિશ્વ હિન્દુ પરિષદના હોદેદારો, રાજકીય સામાજીક આગેવાનો, શહેરીજનો તથા આમંત્રિત મહેમાનોના ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી લાઈવ મુવિંગ ઈવેન્ટ ખૂલ્લુ મુકાયું હતું. આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ-ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!