દ્વારકાધીશના જગતમંદિરમાં શ્રીજીના બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શન

0

દ્વારકાધીશના જગતમંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ પ્રસંગે આજે કાળિયા ઠાકોરને સવારના ખુલ્લા પડદે સ્નાન વારાદાર પુજારી પરિવાર દ્વારા કરાવવામાં આવેલ. દ્વારકાધીશ મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ વર્ષમાં માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક – સ્નાન કરવામાં આવે છે. જેમાંનો એક જયેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્ત્વ છે. આજે જેઠ માસની પૂનમ હોય નિયમીત દ્વારકાધીશના મંદિરે પુનમ ભરવા આવતા ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડેલ અને ગોમતી સ્નાન કરી શ્રીજીના દર્શનનો લાભ લઈ ભારે ધન્યતા અનુભવી હતી. સાંજના સમયે જગતમંદિરમાં અઘોરકુંડના પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવેલ જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બેસાડી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. શ્રીજીના બાલસ્વરૂપના નૌકાવિહાર દશર્નનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધેલ હતો.

error: Content is protected !!