મળી ગયા નવા દયાભાભી

0

લોકપ્રિય ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટુંક સમયમાં દયાભાભી પરત ફરશે. સિરીયલનાં પ્રોડયુસર અસિત મોદીએ પણ કન્ફર્મ કર્યુ હતું કે શોમાં દિશા વાકાણી પરત ફરશે નહીં. નવાં જ દયાભાભી જાેવા મળશે. ૯૦નાં દાયકાની લોકપ્રિય સિરીયલ ‘હમ પાંચ’માં સ્વીટી માથુરનો રોલ પ્લે કરનાર એકટ્રેસ રાખી વિજનને દયાભાભી તરીકે ફાઈનલ કરી હોવાનું માનવામાં આવે છે. રાખી રિયાલીટી શો ‘બિગ બોસ’ની બીજી સીઝનમાં સ્પર્ધક તરીકે જાેવા મળી હતી.

error: Content is protected !!