જૂનાગઢમાં અગાઉનાં મનદુઃખે માર મારી અપહરણ કર્યુ : ચાર સામે ફરીયાદ

0

જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી અગાઉનાં મનદુઃખનાં કારણે અપહરણ કરવાનો બનવા પામતા ચાર સામે ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં સુખનાથ ચોક નજીક માત્રી રોડ, કુંભારવાડા અકબરી એપાર્ટમેન્ટની પાછળ રહેતા મદીનાબેન ઈબ્રાહીમભાઈ ભટ્ટી (ઉ.વ.૪૦)એ કારા મુસા સાંધ, આમીર કારા સાંધ, ઈરફાન કારા સાંધ, હાજી જુણેજા રહે. જૂનાગઢવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરીયાદી બેનનાં દિકરા હુસેનભાઈનીે અગાઉનાં મનદુઃખને કારણે આ કામનાં આરોપીઓએ રેલ્વે સ્ટેશન રોડ ઉપર સરોવર પોર્ટીકા હોટલ પાસેથી માર મારી અપહરણ કરી મહાવ્યથા કરવાનાં ઈરાદે લઈ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એન.આર. પટેલ ચલાવી રહયા છે.
જૂનાગઢમાં ગળાફાંસો ખાતા મૃત્યું
જૂનાગઢનાં જાેષીપરામાં પાદર ચોકની પાસે બ્રાહ્મણ ફળીયામાં રહેતા કાન્તીભાઈ ભીખાભાઈ વાઢીયા (ઉ.વ.૪પ)એ કોઈ અગમ્ય કારણસર પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. જયારે અન્ય એક બનાવમાં કેશોદ તાલુકાનાં મંગલપુર ગામનાં જીવણભાઈ નાથાભાઈ સોલંકી (ઉ.વ.૪પ) ગત તા. ર૮-પ-ર૦રરનાં રોજ કોઈપણ કારણસર દાઝી જતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે.

error: Content is protected !!