જંત્રાખડીની ઘટનામાં માંગરોળમાં આવેદન અપાયું

0

કોડીનાર તાલુકાના જંત્રાખડીમાં આઠ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ મામલે માંગરોળમાં સમસ્ત સાધુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના, રાજપૂત સમાજ તથા વિવિધ સંગઠનો દ્વારા માંગરોળમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોડીનારમાં માનવતા લજવતી તાજેતરની ઘટનામાં ફૂલ જેવી માસૂમ અને કુમળી વયની દીકરી ઉપર આ ગામના નરાધમ શામજી હતી. સ્થાનિક પોલીસ અને જીલ્લા પોલીસ વડાએ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડેલ છે. ત્યારે આ આરોપીને ફાંસીની સજા થાય અને ભવિષ્યમાં આવો અપરાધ ન થાય તે માટે દાખલો બેસે તેવી કાર્યવાહી કરી પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગરોળના સમસ્ત સાધુ સમાજે માંગણી કરી હતી.

error: Content is protected !!