ગિરનારની દુધધારા પરિક્રમા યોજાય : ભાવિકો ઉત્સાવભેર જાેડાયા

0

પવિત્ર ગરવા ગઢ ગિરનારની દૂધધારા પરિક્રમા પ્રતિવર્ષ અગિયારસના દિવસે યોજાતી હોય છે જેમાં ભાવિકો જાેડાયા હતા. સવારે ૬ વાગ્યે દૂધધારાની પરિક્રમા ભવનાથ સ્થિત લંબે હનુમાનની સામે રબારી નેસ વિસ્તારમાં પ્રવેશતા જ કરમણ ભગતના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન કરી હતી. ત્યાંથી ગિરનારની ૩૦ સીડીના પગથિયે શિવ મંદિરે દૂધધારાનો અભિષેક કરીને રૂપાયતન રોડથી ગિરનારની પરિક્રમાના રૂટ તરફ આગળ વધી હતી. આ દૂધધારા પરિક્રમામાં કરમણ ભગત સહિત વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપના કાર્યકરો અને સેવાભાવીઓ જાેડાયા હતા.

error: Content is protected !!