ટીકીટો મોટી સંખ્યામાં કપાશે : ભાજપ પ્રમુખ પાટીલનો ઈશારો

0

કોઈ તમને લાલચ આપે અને કહે કે, પાર્ટીમાં ટીકીટ માટે મારી સાથે રજૂઆત કરવા આવજાે તો તેમાં જાેડાતા નહી. પેજ કમિટીનાં સભ્યોનું એ કામ નથી, એ બાબત પાર્ટી નક્કી કરશે તમારે કોઈનાં ટોળામાં સામેલ થવું નહી. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મોટી સંખ્યામાં આ ચૂંટણીમાં ટીકીટ કપાશે તેવો ઈશારો કર્યો છે. કોને ટીકીટ મળે છે તેની ચિંતા તમારે કરવાની જરૂર નથી. જે કમળનું નિશાન લઈને આવે તેમનાં માટે તમારે કામ કરવાનું છે. વર્તમાન કે ભૂતપૂર્વ ધારાસભ્યો કે ભાજપનાં કોઈપણ નેતાની ટીકીટને લઈને કોઈ ચોક્કસ ગણતરી રાખવાની રહેશે નહી, હાઈ કમાન્ડ જેને ટીકીટ આપે તેને જીતાડવા માટે કાર્યકર્તાઓને કામ કરવાનું છે.

error: Content is protected !!