માંગરોળમાં કેશોદ ચોકડી પાસે ગૌવંશ ઉપર ર્નિદય રીતે અસામાજિક તત્વો દ્વારા એસિડ એટેક કરાતા ગૌ પ્રેમીઓમાં રોષ

0

જૂનાગઢના માંગરોળમાં કેશોદ ચોકડી વિસ્તારમાં ૪ ખુંટીયા(નંદી)ઓ ઉપર ખુબ જ ર્નિદય રીતે કોઈએ એસિડ એટેક કરવામાં આવ્યો છે. ચાર મુંગા અબોલ જીવો ઉપર એસિડ દ્વારા એટેક કરાયા હોવાના બનાવથી પશુ પ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠયો હતો. ચાર પશુઓ એસીડ એટેક કરવામાં આવ્યો છે જેમાંથી ૩ને ગૌશાળા દ્વારા અને પશુ દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી. એક નંદીને વધુ સારવાર માટે કુકસવાડામાં ગૌ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવેલ. જ્યારે આવું કૃત્ય કરનારા લોકો સામે કડક કાર્યવાહી થાય અને કડક સજા થાય તેવું પશુ પ્રેમીઓ દ્વારા માંગ કરી રહ્યા છે.

error: Content is protected !!