અમદાવાદમાં સુરક્ષા અને સર્વેલન્સમાં દાખલારૂપ બનશે ૧૪૫મી જગન્નાથજીની રથયાત્રા

0

હેલિકોપ્ટર તેમજ ડ્રોનથી આકાશી અને હાઈરિઝોલ્યુશન સીસીટીવી, ૨૫૦૦ બોડીવોર્ન કેમેરાથી જમીની સુરક્ષાને કરાશે સુનિશ્ચિત : રથયાત્રાના વાહનોને ય્ઁજી સાથે જાેડીને કરાશે લોકેશન મોનિટરિંગ, ૧૦૧ ટ્રકોમાં થશે ‘એન્ટિ સેબોટેજ ચેક’ : સોશ્યલ મીડિયા મોનિટરિંગ અને સુરક્ષાલક્ષી ઈનપુટ માટે હ્યુમન ઈન્ટેલિજન્સનો થશે વ્યાપક ઉપયોગ

૧લી જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરનારી ૧૪૫મી રથયાત્રા આ વર્ષે ખુદમાં જ ખાસ હશે. કારણ કે, આ વર્ષે સુરક્ષાના વિવિધ પાસાઓ ઉપર માઈક્રોપ્લાનિંગ સાથે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવનાર છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની નેમ પ્રમાણે આ વર્ષે રથયાત્રામાં સુરક્ષાનું એવું અભેદ્ય આયોજન કરવામાં આવશે કે જે દેશના તમામ ધાર્મિક સ્થળો ઉપર યોજાતી યાત્રાઓ માટે દાખલો બની રહે. જગતના નાથની નગરચર્યાના બંદોબસ્તમાં આ વર્ષે ૨૫,૦૦૦ જેટલા વિવિધ રેન્કના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે. ઉપરાંત દરવર્ષથી વિશેષ આકાશી અને જમીની એમ બંને સ્તરે ટેક્નોલોજીના માધ્યમથી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવનાર છે. જેમાં હેલિકોપ્ટર તેમજ ડ્રોનથી આકાશમાં અભેદ્ય સુરક્ષા ગોઠવવામાં આવશે. બીજી તરફ જમીની સ્તર ઉપર હાઈરિઝોલ્યુશન સીસીટીવીથી વોચ રાખવામાં આવશે જેમાં ૪૬ ફિક્સ્ડ લોકેશન અને અન્ય મુવિંગ બંદોબસ્ત તથા વ્હીકલ માઉન્ટેડ હશે. રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત જવાનો પૈકી ૨૫૦૦ને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવનાર છે. આ પોલીસ જવાનો સંવેદનશીલ વિસ્તારમાં દરેક વ્યક્તિની હરકત ઉપર બાજનજર રાખશે. અગાઉથી નક્કી રૂટને આધારે રથયાત્રા કુલ ૭ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પસાર થતી હોય છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીના રથ સિવાય ૧૦૧ સુશોભિત ટ્રક જાેડાશે. આ ટ્રકનું ‘એન્ટિ સેબોટેજ ચેક’ ફરજિયાત હોય છે. આ તપાસમાં ટ્રકમાં કોઈ જીવલેણ હથિયાર કે અન્ય નુકશાનકારક સામગ્રી ન હોવાની ખરાઈ કરવામાં આવે છે. દર ૧૦ ટ્રક પછી એક પોલીસવાન ગોઠવવામાં આવશે તેમજ ય્ઁજીની મદદથી વાહનોનું લાઈવ ટ્રેકિંગ કરવામાં આવશે. રથયાત્રા દરમ્યાન સંદેશા વ્યવહાર સતત ચાલુ રહે તે માટે પણ પુરતું આયોજન કરવામાં આવ્યુ છે. ફૐહ્લ વાયરલેસ વોકીટોકીના કુલ ૧૬ ચેનલ ઉપર સતત સંદેશાવ્યવહાર કરવામાં ચાલુ રહેશે. કારંજ, માધવપુરા, શહેરકોટડા, ખાડિયા, શાહપુર, ગાયકવાડ હવેલી, કાલુપુર, દરિયાપુર એમ કુલ ૮ પોલીસમથકોમાં મીની કંટ્રોલરૂમ રાખવામાં આવશે. આજના સમયમાં સોશ્યલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે કોઈ ઉપદ્રવી તત્વ સોશ્યલ મીડિયા થકી સૌહાર્દનો માહોલ બગાડવાનો પ્રયાસ ન કરે તે માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્‌વીટર અને વ્હોટ્‌સએપ સહિતના માધ્યમો ઉપર ચાંપતી નજર રાખવા માટે શહેર પોલીસ સ્થાનિકોની પણ મદદ લેશે. જાે સોશ્યલ મીડિયા ઉપર કોઈ વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધી જણાઈ આવે તો તાત્કાલિક તેનું ૈંઁ એડ્રેસ મેળવીને તેની ઉલટતપાસ કરવામાં આવશે. સાયબર ક્રાઈમની વિવિધ ટીમો ખાસ સોફ્ટવેરની મદદથી સોશ્યલ મીડિયા સર્વેલન્સ રાખશે. સુરક્ષા માટે હ્યુમન ઈન્ટેલિજન્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ પોલીસ વિભાગનું આયોજન છે. આમ, છેલ્લા બે વર્ષથી કોરોનાકાળને લીધે ભક્તો અને ભગવાન વચ્ચે વધેલા અંતરને મિટાવવા માટે અને લાખો ભાવિકોને સંતોષકારક દર્શન થાય તે માટે શહેર પોલીસે સુરક્ષા અને સલામતી માટે કમર કસી છે.
શું ખાસિયત
• ૨૫૦૦૦ વિવિધ રેન્કના પોલીસકર્મીઓ
• હેલિકોપ્ટર, ડ્રોનથી આકાશમાં અભેદ્ય સુરક્ષા
• હાઈરિઝોલ્યુશન સીસીટીવી કેમેરા
• ૪૬ ફિક્સ્ટ લોકેશન સહિત અન્ય મુવિંગ, વ્હિકલ માઉન્ટેડ કેમેરા
• ૨૫૦૦ બોડીવોર્ન કેમેરા
• ૧૦૧ ટ્રકનું ‘એન્ટિ સેબોટેજ ચેક’
• ફૐહ્લ વોકીટોકીથી ૧૬ ચેનલ ઉપર સંદેશા વ્યવહાર
• ૮ પોલીસ સ્ટેશનમાં મીનિ કંટ્રોલ રૂમ
• જનભાગીદારીથી સોશિયલ મીડિયા મોનિટરિંગ
• હ્યુમન ઈન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ

error: Content is protected !!