ગાયત્રી શકિતપીઠ ખાતે કથાકાર સપ્તમ જ્ઞાનગોષ્ઠી યોજાઈ

0

ગાયત્રી શકિતપીઠ જૂનાગઢમાં તા. ર૬-૬-રરને રવિવારનાં વૈદિક સનાતન ધર્મનો કથા દ્વારા પ્રચાર અને પ્રસાર કરતા બ્રહ્મનાદ બ્રહ્મકથાકારોની સપ્તમ કથાકાર જ્ઞાનગોષ્ઠી યોજાયેલ હતી. જેમાં શેરનાથબાપુ, દલપતગીરી સ્વામીજી, બટુકબાપુએ દિપ પ્રાગટય કરેલ અને ઉપસ્થિત સર્વે કથાકારોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનીત કર્યા હતાં. વર્ષમાં બે વાર યોજાતી કથાકાર જ્ઞાનગોષ્ઠીને સફળ બનાવવા ગોપાલકૃષ્ણ જાેષી, આનંદભાઈ પેરાણી, નરેન્દ્રભાઈ જાેષી, નરેન્દ્રભાઈ વ્યાસ, મનોજભાઈ પુરોહીત, મનોજભાઈ ભટ્ટ (શાપુર), વિપુલભાઈ વેગડા, મોન્ટુભાઈ રાવલે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ત્રિવેદીએ કરેલ હતું.

error: Content is protected !!