આજે ડોકટર્સ ડે : તબીબોનાં સન્માનનો દિવસ

0

ભારતમાં દર વર્ષે ૧ જુલાઇએ, ડોકટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ છે. આ દિવસે લોકોને ડોકટરોના મહત્વ વિશે જાગૃત કરવામાં આવે છે.
નેશનલ ડોક્ટર ડે ક્યારે શરૂ થયો ?
ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર ડેની શરૂઆત ૧૯૯૧માં તત્કાલીન સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે ૧ જુલાઈએ રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડો. રોયે તમામ વર્ગ અને સમુદાયોની મહિલાઓને આગળ આવવા અને તેમની ટીમે શરૂ કરેલી સેવા સદનમાં તબીબી સારવાર મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમના તાલીમ કેન્દ્રથી મહિલાઓને નર્સિંગ અને સામાજિક કાર્ય વિષે શીખવામાં મદદ મળી અને બદલામાં આગળ જ્ઞાનનો ફેલાવો થયો. તેમના મૃત્યું પછી, જે મકાનમાં તે રહેતા હતા તે તેમની ઇચ્છા મુજબ એક નર્સિંગ હોમમાં ફેરવાઈ ગયું. તેનું નામ તેમની માતા અઘોરકમિની દેવીના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું. ડોકટર્સ ડેની ઉજવણી માત્ર ડોક્ટર રોયના માન માટે જ નહીં, પણ દરેક ક્ષેત્રના દર્દીઓ પ્રત્યેના તેમના અથાક પ્રયત્નો અને સમર્પણ માટે ઉજવવામાં આવે છે. બિધાનચંદ્ર રોયના જન્મદિવસને ડોક્ટર્સ ડે તરીકે ઉજવવાનું કારણ એ છે કે, તેઓ પોતાની બધી જ કમાણી દાન કરી દેતા હતા. તેઓ લોકો માટે એક રોલ મોડલ છે. આઝાદીના આંદોલન દરમ્યાન તેમણે નિસ્વાર્થભાવે ઘણા ઇજાગ્રસ્તોની સારવાર કરી હતી. ડોક્ટર્સ ડે ઉજવવાનો હેતુ, ડોક્ટર્સના પ્રત્યે સહાનુભૂતિ રાખીને તેમને સમાજમાં સન્માનિત કરવાનો છે. બિધાનચંદ્ર રોયના તેમનો જન્મ ૧ જુલાઈ ૧૮૮૨ના રોજ બિહારના પટણા શહેરમાં થયો હતો અને ૮૦ વર્ષ પછી ૧ જુલાઇ ૧૯૬૨ના રોજ આ જ દિવસે મૃત્યું પામ્યા હતા.
ડોકટરનું મહત્વ
દુનિયામાં જેમ ખેડૂત અને જવાનની ભૂમિકા મહત્ત્વની છે, તેટલી જ ડોક્ટરની ભૂમિકા પણ મહત્ત્વની છે. ડોક્ટર્સ વિના સમાજની કલ્પના કરવી અસંભવ છે. ડોક્ટરો મહેનત કરીને બીમાર વ્યક્તિને મોતના મુખમાંથી પાછો ખેંચી લાવે છે. ડોક્ટર્સ આયુર્વેદિક, એલોપેથી, અલગ-અલગ પદ્ધતિઓથી દર્દીને સ્વસ્થ કરવાના પ્રયાસો કરે છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે, ત્યારે દર્દીઓને સ્વસ્થ કરવા માટે ડોક્ટર્સ તનતોડ મહેનત કરી રહ્યા છે. આપણે ડોક્ટર્સનું સન્માન જરૂર કરવું જાેઈએ. સમગ્ર વિશ્વમાં ડોકટરોને ખૂબ માન આપવામાં આવે છે. એમાંય ખાસ કરીને ભારતમાં તો તેમને ભગવાનનો દરજજાે આ૫વામાં આવે છે. જાેકે, કોઈ વ્યક્તિની ભગવાન સાથે તો સરખામણી ન થઇ શકે, પરંતુ ડોકટરોએ આ સ્થાન તેમના કાર્યોથી હાસિલ કર્યુ છે. તેમ છતાં જીવન અને મૃત્યું માણસના નહીં પણ ભગવાનના હાથમાં છે, પરંતુ હવે ઈશ્વરે માણસને ડોકટર બનાવીને જીવન આપવાનો અધિકાર આપ્યો છે. આપણે આ જીવનદાતાને ડોકટર તરીકે ઓળખીએ છીએ, જે આપણને જન્મ આપે છે, સાથે સાથે આપણને મૃત્યુંના સમયે બચાવે છે. આરોગ્ય ક્ષેત્રમાં ડોકટરોએ દિવસે દિવસે પ્રગતિ કરી છે. આજના આધુનિક યુગમાં કેટલાય અસાધ્ય રોગોનો ઇલાજ પણ શકય બન્યો. જે, વિજ્ઞાનના ચમત્કારો તથા ડોકટરોના અથાગ ૫રિશ્રમનું જ ફળ છે.

error: Content is protected !!