ખંભાળિયામાં મહિલા મંડળ દ્વારા મહેંદી હરિફાઈ યોજાઈ : મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો

0

ખંભાળિયાની જાણીતી મહિલા સંસ્થા શ્રી મહિલા મંડળ દ્વારા અત્રે જલારામ મંદિર ખાતે તાજેતરમાં ઓપન મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં પ્રોજેક્ટ ચેર પર્સન તરીકે જેમીનીબેન મોટાણી, અલકાબેન મોદી તેમજ જજ તરીકે જાણીતા પ્રોફેશનલ મહેંદી આર્ટીસ્ટ કે જેમને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે, તે બ્રિજેશ લિયાએ સેવા આપી હતી. આ સ્પર્ધામાં શહેરના મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. આ હરિફાઈમાં મહિલા મંડળના પ્રમુખ ડોક્ટર પ્રફુલાબેન બરછા, મંત્રી નિમિષાબેન નકુમ, બ્રિંદાબેન બરછા, દક્ષાબેન કોટેચા, રેખાબેન મજીઠીયા, ચંદ્રિકાબેન નકુમ, દર્શનાબેન વ્યાસ, પુનમબેન વાયા, ચંદાબેન મોદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દરેક બહેનોને સ્મૃતિ ભેટ વડે પ્રોત્સાહિત કરી, શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સમગ્ર આયોજન બહેનોમાં ભારે આવકારદાયક બની રહ્યું હતું.

error: Content is protected !!