માંગરોળમાં ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી

0

માંગરોળ શહેર ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે માત્રી માતાજી મંદિરનાં સંત બજરંગદાસ બાપુ, કામનાથ મહાદેવ મંદિરના સંત ઈશ્વર બાપુ, અપ્સરા માતાજી મંદિરના સંતનાં આશીર્વાદ સાથે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે ગુરૂજનો અને સંતોના ચરણોમાં મસ્તક નમાવી તેમને ફુલહાર તેમજ શાલ ઓઢાળી ગુરૂવંદના કરવામાં આવેલ હતી. આ ગુરૂવંદનાનાં કાર્યક્રમમાં માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, નગરપાલિકાના ઉપપ્રમુખ મનોજભાઈ વિઠ્ઠલાણી, શહેર ભાજપ મહામંત્રી ધનસુખભાઈ હોદાર, યુવા મોરચાનાં પ્રમુખ ભગીરથસિંહ ચુડાસમા, કિસાન મોરચાના પ્રમુખ શિવાંગભાઈ પરમાર ઉપસ્થિત રહેલ હતા.

error: Content is protected !!