જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સીંધી સમાજના રૂપારેલ પરિવાર દ્વારા ચક્ષુદાન

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં છાપરા સોસાયટી વિસ્તારમાં રહેતા સ્વ. ધર્માબેન વિશનદાસ રૂપારેલ(ઉ.વ.૮૨) કે જેઓ ચંદુભાઈ, સુરેશભાઈ અને રમેશભાઈના માતા થાય છે. જેમનું તા.૧૫-૭-૨૦૨૨ને શુક્રવાર, અષાઢ વદ બીજના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળા પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો ર્નિણય કર્યો હતો. આથી માંગરોળમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્રના સંચાલકને જાણ કરતા હરદિપ સિંહ જેઠવા અને ભરતભાઈ ભાદરકાએ(અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ) દ્વારા મૃતકના બંને ચક્ષુ લેવામાં આવ્યા હતા. તેમજ આ ચક્ષુનો સ્વિકાર ઠાકરભાઈ તન્ના અને પ્રકાશભાઇ લાલવાણી કરેલ છે અને કરશનભાઈ વાજા તેમજ રાહુલભાઇ ચાવડા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક,ઝ્ર/ર્ં ડો. થાનકી આઈ હોસ્પિટલ વેરાવળ, જિ. ગીર-સોમનાથને આ બંને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે. આ ચક્ષુદાનથી શિવમ ચક્ષુદાન આરેણા દ્વારા કુલ ૧૨૪ ચક્ષુદાન થયેલ છે. આ પરિવારના આ મહાદાનને શિવમ ચક્ષુદાન આરેણા વંદન કરે છે. રૂપારેલ પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને ધર્માબેનને શ્રધ્ધાંજલી અર્પે છે. સિંધી સમાજના રૂપારેલ પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ ચક્ષુદાન ગૃપ-આરેણા, માંગરોળ જાયન્ટ્‌સ ગૃપ, વંદેમાતરમ્‌ ગૃપ-માંગરોળ, સ્વ. લક્ષમણભાઈ એ. નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ, શ્રી ડુગરગુરૂ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જૂનાગઢ, માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો, ઈન્ડિયન હ્યુમન રાઈટ્‌સ એસોસિએશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.

error: Content is protected !!