વેરાવળમાં પાલીકા તંત્રે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરતા કલ્યાણ સોસાયટીના ઘરોમાં બે દિવસથી પાણી ભરાયેલા રહેતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન

0

વેરાવળ-સોમનાથ જાેડીયા શહેરમાં બે દિવસથી પડી રહેલ ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો, માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાવવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહયા હતા. તેમ છતાં આ મુશ્કેલીથી તંત્ર અજાણ હોય તેમ નિકાલ અર્થે કોઇ કામગીરી હાથ ન ધરતા રહીશોમાં રોષ પ્રર્વતેલ છે. આવી જ મુશ્કેલીનો સામનો શહેરની મધ્ય આવેલી કલ્યાણ અને આદિત્ય પાર્ક સોસાયટીના રહીશો કરી રહયા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે બેટમાં ફેરવાઈ હોય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. આ સોસાયટીના રહીશોના અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને નુકસાન થઇ રહયુ છે. આ સમસ્યા અંગે ફરીયાદો કરી હોવા છતાં તંત્રના જવાબદારો કોઇ પ્રત્યુતર પણ આપી રહયા નથી. જયારે મત માંગવા આવતા નગરસેવકો પણ ફરકયા ન હોવાથી તેઓ સામે રોષ જાેવા મળતો હતો.
પાલીકાના જવાબદારો પાણીનો નિકાલ કયારે કરશો ?
કલ્યાણ સોસાયટીમાં રહેતી કાજલબેન પાલાએ જણાવેલ કે, વરસાદ વરસ્યો ત્યારથી અમારા ઘરમાં પાણી ઘુસી ગયેલ જે ઉતર્યુ ન હતુ. દરમ્યાન ગઈકાલે સવારે ફરી વરસાદ વરસતા વધુ પાણી ઘરમાં ઘુસી જતા અમારી ઘરવખરી પલળીને તરી રહી છે. અમારા વિસ્તારમાં ભરાયેલ પાણીનો કોઇ નિકાલ ન થતો હોવાથી ગઈકાલે ફરીયાદ કરવા અંગે અનેકવાર પાલીકાનો સંપર્ક કરેલ તેમ છતા કોઇ પ્રત્યુતર મળતો નથી. આવી પરિસ્થિતિમાં અમારા વડીલોને લઇને કયાં જવુ તે પ્રશ્ન મુંઝવી રહયો છે. વરસાદ થંભી થયા પછી કલાકોના કલાકો સુધી અમારા વિસ્તારમાં ભરાયેલ પાણીનો નિકાલ કેમ થતો નથી ? તેવો અમારો પાલીકા તંત્રને સવાલ છે. જેનો જવાબ આપે તેવી માંગણી છે.
મુશ્કેલી સમયે પ્રજાના સેવકો જ ગુમ થયા
ધનસુખભાઇ જુંગીએ જણાવેલ કે, ચુંટણી સમયે મત લેવા દોડી આવતા નગરસેવકો-નેતાઓ હાલ અમારી સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીથી મુશ્કેલી અનુભવતા લોકોને પૃચ્છા કરવા પણ દેખાયા નથી. અમારા વિસ્તારોની ગટરો સમયસર સાફ ન કરી હોવાથી હાલ જામ થઇ ગઇ છે. જેના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી અમારા ઘરોમાં પાણી ઘુસી જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. અમારી સોસાયટીમાં ગોઠણડુબ પાણી ભરાયેલુ હોવાથી બહાર નિકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
પાલીકાની અણઘડ કામગીરીથી લોકોને મુશ્કેલી
આદિત્ય પાર્ક સોસાયટીમાં રહેતા કિશોરભાઇ ખાંભલાએ જણાવેલ કે, ચોમાસા પૂર્વે પાલીકા તંત્ર દ્વારા કોઇ કારણોસર અમારી સોસાયટીના સારા રોડ તોડી નાંખ્યા બાદ સમયસર રીપેર કરવાની અને પાણી નિકાલ અંગેની કામગીરી કરવા કોઇ તસ્દી ન લીધી હતી. જેના લીધે ભારે પડેલ વરસાદથી સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ગોઠણડુબ પાણી ભરાઇ જતા લોકોને ઘરની બહાર નિકળવામાં હાલાકીનો સામનો કરવો પડી રહયો હતો. આમ પાલીકા તંત્રના વાંકે લોકોને ફરજીયાત ઘરોમાં કેદ થવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહયો છે. પાણી ભરાવવાથી લોકોના વાહનોને પણ ખાસુ નુકસાન પહોચ્યું છે.
શહેર જાણે ગંદકી નગર બન્યું હોય તેવા હાલ
અત્રે નોંધનીય છે કે, પ્રથમ રાઉન્ડના વરસાદમાં જ મેઘરાજાએ પાલીકાએ કાગળ ઉપર કરેલ ગટર સફાઇ જેવી પ્રીમોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખ્યાનો નજારો જાેડીયા શહેરમાં જયાં જુવો ત્યાં જાેવા મળી રહયો છે. જાેડીયા શહેરની શેરીઓના કે મુખ્ય જે માર્ગો ઉપર જુઓ ત્યાં વરસાદી પાણી સાથે ગટરોના દુર્ગંધ મારતા પાણીઓ ફરી વળેલા જાેવા મળે છે. તો વરસાદી કચરાના ઢગલાઓ અને કાદવ-કીચડનું સામ્રાજય પણ નજર કરો ત્યાં દેખાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે પાલીકાના પદાધિકારીઓ સબસલામત હોવાનો દાવાઓ કરી કામ કરતા હોવાનો દેખાડો કરી રહયા હોય જેની સામે લોકોમાં પ્રંચડ રોષ જાેવા મળી રહયો છે.

error: Content is protected !!