કેશોદ તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત બામણાસા ઘેડની કોંગ્રેસના હોદ્દેદારોએ મુલાકાત લીધી

0

ચોમાસામાં દર વર્ષે વધુ વરસાદ થતાંની સાથે ઘેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ખેતરોમાં દરીયા જેવો માહોલ સર્જાય છે અને લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ન ઓસરતા ખેડૂતોની જમીન અને ખેત પેદાશોમાં મોટાપાયે નુકશાન થાય છે. જુદી જુદી નદિઓના પાણી ઘેડ પંથકમાં ભેગુ થતું હોય, નદિઓ ઉંડી અને પહોળી ન હોવાના કારણે નદિ ઓવરફલો થતાં નદિના પાળા તુટવાના બનાવ દર વર્ષે બનતા રહે છે. જેથી ખેડૂતોની જમીન તથા ખેત પેદાશોમાં મોટાપાયે નુકશાન થાય છે. હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓઝત નદિનો પાળો તુટતાં અસંખ્ય ખેતરોના ધોવાણ સાથે ખેડૂતોની ખેત પેદાશોમાં મોટાપાયે નુકશાન થયું છે. જે બાબતે ખેડૂતોની એવી માંગ છે કે, નદિ ઉંડી અને પહોળી કરવામાં આવે તેવી દર વર્ષે ખેડૂતો માંગ કરે છે. છતાં સરકાર દ્વારા ઘેડ પંથકનો કે કાયમી પ્રશ્ન હલ થાય તેવું કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે દર વર્ષે એકાદ જગ્યાએ નદિનો પાળો તુટવાના બનાવો બનતા રહે છે. હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓઝત નદિનો પાળો તુટતા અનેક ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થયું છે. સાથે ખેત પેદાશોમાં પણ મોટાપાયે નુકશાન થયું છે જે બાબતે કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમીતીના હોદેદારોએ બામણાસા ગામે નદિનો પાળો તુટયો ત્યાં સ્થળ ઉપર જઈ હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યારે નદિઓના પાળાઓ આરસીસીથી મઢવામાં આવે, નદિ ઉંડી અને પહોળી કરવામાં આવે, સરકાર દ્વારા સર્વે કરાવી જરૂર જણાય ત્યાં આરસીસીથી મઢવામાં આવે તો નદિના પાળા તુટવાના પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલ આવી શકે છે. આ મુદો કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરાશે તેવી ખેડૂતોને કોંગ્રેસ પરિવાર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. ચોમાસામાં ઘેડ પંથકમાં દર વર્ષે નદિઓના પાળાઓ તુટવાના બનાવો બને છે. દર વર્ષે રજુઆત કરવામાં આવે છે ત્યારે ઘેડ પંથકનો પ્રાણ પ્રશ્નનો કાયમી ઉકેલ થશે કે કેમ તે જાેવાનું રહ્યું.

error: Content is protected !!