જૂનાગઢ બ્રહ્મસમાજનાં મહિલા અગ્રણી જાહન્વીબેન ઉપાધ્યાયનું અવસાન

0

જૂનાગઢ બ્રહ્મસમાજનાં જુની પેઢીનાં મહિલા અગ્રણી જાહન્વીબેન ભાસ્કરભાઈ ઉપાધ્યાયનું અવસાન થયેલ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતાં. તેમણે મહિલાઓનાં ઉત્કર્ષ માટે અને આર્થિક રીતે પગભર બને તે માટે અનેક સેવાભાવી સંસ્થાઓમાં સેવા આપેલ હતી. વર્ષો પહેલા તેઓએ મહિલાઓ માટે સહકારી શરાફી મંડળી શરૂ કરી અનેક ગરીબ મહિલાઓને સ્વરોજગાર માટે આર્થિક સહાય આપેલ હતી. આ ઉપરાંત મહિલાઓેએ બનાવેલ વસ્તુઓનાં વેંચાણ માટે પ્રદર્શનનું પણ આયોજન કરેલ હતું. તેમજ મહિલા સંગઠનોમાં પણ આગળ પડતી ભૂમિકા ભજવી હતી. વર્ષ ૧૯૭૭માં તેઓ જૂનાગઢ નગરપાલિકામાં જનતા પાર્ટીની બોડી વખતે સદસ્ય તરીકે ચુંટાયા હતાં. અને નગરપાલિકા બાગ-બગીચા કમીટીનાં ચેરમેન તરીકે તેમણે સૌ પ્રથમ વખત ઉપરકોટમાં બગીચો બનાવી લોકોને એક નઝરાણું ભેટ આપ્યું હતું. બ્રહ્મસમાજનાં ભામાશા ગણાતા સ્વ. ભાસ્કરભાઈ ઉપાધ્યાયનાં ધર્મપત્ની તથા હિરેનભાઈ, મેહુલભાઈ, દર્શકભાઈનાં માતાનું ગઈકાલે અવસાન થતાં સમાજને મોટી ખોટ પડી છે.

error: Content is protected !!