સોરઠમાં મેઘાવી માહોલ વચ્ચે ઝરમરીયો વરસાદ

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ વરાપ આપી છે પરંતુ સાથે જ મેઘાવી માહોલ યથાવત રહયો છે. મોટાભાગનાં સૌરાષ્ટ્રનાં જીલ્લાઓમાં ૬૦ ટકાથી ઉપર વરસાદ પડી ચુકયો છે. જળાશયો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. જૂનાગઢ શહેરનો નરસિંહ મહેતા સરોવર, વિલિગ્ડન ડેમ તેમજ આણંદપુર ડેમ, હસ્નાપુર ડેમ, ઓઝત-ર વગેરે પણ છલકાઈ ચુકયા છે. છેલ્લા ત્રણ દિવસ થયા મેઘરાજા થોડા ધીમા પડયા છે જેને લઈને વરાપ જેવું વાતાવરણ રહેલ છે. ગઈકાલે જૂનાગઢનાં ભવનાથ વિસ્તાર તેમજ વિલિગ્ડન ડેમ ઉપર શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. આજે સવારે પણ વરસાદી વાતાવરણ વચ્ચે હળવાથી ભારે ઝાપટાનો દોર રહયો છે.

error: Content is protected !!