સોમનાથ સાંનિધ્યે કેટરીંગ એસો.ની બેઠક મળી, રાષ્ટ્રીય સંમેલનમાં સામેલ થવા ચર્ચા કરાઈ

0

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ગીર સોમનાથ જિલ્લા કેટરીંગ એસોસીએશનની એક બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિત રહેલા તમામ સભ્યોએ પ્રથમ સોમનાથ મહાદેવને ધ્વજારોહણની પૂજા કરી ધ્વજા ચડાવી હતી. બાદમાં એસો.ની બેઠક મળી હતી. જેમાં આગામી સપ્ટેમ્બર માસમાં ગાંધીનગર ખાતે ઓલ ઇન્ડીયા કેટરીંગ એસો.નું મળનાર સંમેલન અંગે તમામને વિસ્તૃત જાણકારી આપી જિલ્લામાંથી વઘુમાં વધુ સભ્યો હાજરી આપે તેવી અપીલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડા અને સામાજીક કાર્યકર દિપકભાઈ ટીલાવત ખાસ હાજર રહ્યા હતા. આ બેઠકના અંતે એસો.ના તમામ સભ્યોએ પરીવાર સાથે પ્રસાદી લીધી હોવાનું સોમનાથ કેટરીંગ એસો.ના પ્રમુખ મિલનભાઈ જાેશીએ જણાવેલ છે.

error: Content is protected !!